અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે હાલની કેન્દ્રની મોદી સરકાર 'મંદી' શબ્દનો સ્વીકાર જ કરતી નથી. મનમોહન સિંહે કહ્યું કે વાસ્તવમાં ખતરો એ છે કે જો સમસ્યાઓને ઓળખવામાં નહીં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય હલ શોધવાની શક્યતા ઓછી છે.
પૂર્વ પીએમ મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
કહ્યું કે હાલની મોદી સરકાર મંદી શબ્દ માનવા તૈયાર નથી
મોદી સરકાર 'slowdown' શબ્દનો સ્વીકાર કરી રહી નથી
દેશમાં કથિત મંદીની અસર અને ડામાડોળ અર્થવ્યવસ્થાને લઇને પૂર્વ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા મનમોહન સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર પર નિશાન સાધ્યું છે. મનમોહન સિંહે કહ્યું કે મોદી સરકાર 'slowdown' શબ્દનો સ્વીકાર કરી રહી નથી અને એ જ મોટો ભય છે.
પૂર્વ પીએમ મનમોહનસિંહ યોજના આયોગના પૂર્વ ઉપાધ્ય મોંટેક સિંહ અહલૂવાલિયાના પુસ્તક 'Backstage' ના લોકાર્પણ દરમિયા આ અંગેનું નિવેદન આપ્યું હતું. મનમોહન સિંહે કહ્યું હાલની કેન્દ્ર સરકાર 'મંદી' શબ્દને માનતી નથી. પૂર્વ પીએમએ કહ્યું કે મને લાગે છે કે આ મુદ્દાઓ પર ચર્ચા થશે અને આ ચર્ચા થવી જોઇએ.
પૂર્વ પીએમ મનમોહનસિંહે કહ્યું કે આજે એવી સરકાર છે કે જે 'મંદી' શબ્દનો સ્વીકાર કરી રહી નથી. મને લાગે છે કે આ આપણા દેશમાં સારૂ નથી.
કોંગ્રેસના નેતા અને પૂર્વ પીએમ મનમોહનસિંહે પુસ્તક વિમોચન કરતાં કહ્યું કે આ પુસ્તક દેશના વિકાસ માટે ઘણુ મદદગાર રહેશે. મનમોહનસિંહે 1990 દાયકામાં અર્થવ્યવસ્થાના ઉદારીકરણ માં તેમને સમર્થન આપવા માટે પૂર્વ પીએમ નરસિંહ રાવ, પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ અને મોંટેક સિંહ અહલૂવાલિયા દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી.