ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરમાં વધેલા ભાવોને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તો કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ વિશે પણ દિલીપ સંઘાણી વાત કરી હતી.
દિલીપ સંઘાણીનુ ખાતરના ભાવ પર નિવેદન
હજુ પણ ભાવ વધવાની શક્યતાં
"4 હજારમાંથી 3733 રૂ.અપાય છે સબસીડી "
વધતા ખાતરના ભાવને લઈ IFFCOના ચેરમેનનું નિવેદન સામે આવ્યુ છે. દિલીપ સંઘાણીએ કહ્યુ કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને પગલે ખાતરના ભાવમાં વધારો થયો છે. સરકારને 1 યુરિયાની બેગ 4000 રૂપિયામાં પડે છે પરંતુ આ યુરિયાની બેગ ખેડૂતોને 267 રૂપિયામાં આપવામાં આવે છે. આમ ખેડૂતોને દરેક યુરિયાની બેગ પર 3733 રૂપિયા સબસીડી આપવામાં આવે છે. તેમને એમ પણ કહ્યુ હતુ કે, જો રશિયા - યુક્રેન વચ્ચે યુદ્ધ આગળ પણ ચાલુ રહ્યુ તો હજુ પણ ખાતરના ભાવ વધી શકે છે.
દિલીપ સંઘાણીએ શું કહ્યું ?
ખાતરના ભાવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે વધી રહ્યા છે પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપવા જોઈએ. સમગ્ર દુનિયામાં ખાતરના ભાવને લઈને હાહાકાર મચી ગયો છે, ત્યારે ગયા વર્ષના 21 જાન્યુઆરીના રોજ 300 યુએસ ડોલર આંતરરાષ્ટ્રીય જે ભાવ હતો, તે આજે 1200 યુએસ ડોલર કરતા વધ્યો છે. ત્યારે 1 યુરિયાની બેગ સરકારે 4000 રૂપિયા કરતા વધારે રૂપિયામાં પડે છે. જે ખેડૂતોને 267 રુપિયે આપવામાં આવે છે. એટલે કે એક યુરિયા ખાતરની બેગ પર રૂપિયા 3733 રુપિયા સબસીડી મોદી સરકાર આપે છે. આટલો ભાવ વધારો સતત વધતા હોવા છતાં પણ ખેડૂતો ઉપર ભારણ ના આવે તેની કાળજી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે લઈ રહી છે. જેનું નેતૃત્વ મોદી સાહેબ કરી રહ્યા છે. હજુ પણ જો રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ લાંબી ચાલશે તો આંતરરાષ્ટ્રીય ભાવ વધવાની પુરી શકયતા છે જેની અસર આવતા દિવસોમાં બજેટ ઉપર કેવી પડે છે તે જોવાનું રહેશે.
કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ છે તેને લઈને દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પોતેજ કીધું છે કે વરરાજાની નસબંધી કરી નાખી છે. ત્યારે કોંગ્રેસે કટોકટીના સમયમાં પ્રત્યક્ષ રીતે આ દેશના યુવાનો નસબંધી કરી નાખી હતી. કોંગ્રેસનું કામજ નસબંધી કરવાનું છે.