ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોહલીની જગ્યાએ રોહીત શર્માને ટી20 અને વન ડેનો કપ્તાન બનાવ્યો છે તેને લઇને સતત ખેલાડીઓ અને ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
કપ્તતાનીને લઇને પૂર્વ ખેલાડીએ આપ્યું નિવેદન
વિંડીઝની હાલત જોઇને શીખામણ લેવા કહ્યું
પૂર્વ ચીફ સિલેક્ટરે આપ્યું નિવેદન
વેંગસરકરે કહ્યું કે, કોહલીની જગ્યાએ સિમિત ઍવોર્ડ્સના ફોર્મેટમાં રોહિતને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ બરાબર છે પરંતુ ભારતીય બોર્ડે કેટલાક એવા યુવા ખેલાડીઓને પણ તૈયાર કરવા જોઇએ જે ભવિષ્યમાં સિનિયર્સના રિટાયર થવા પર ટીમની કમાન સંભાળી શકે. આ દરમિયાન વેંગસરકરે કહ્યું કે, તૈયાર કર્યા વગર તમે યુવાનોને દરિયામાં ન ફેંકી શકો. તેમના પર ધ્યાન આપવું પડે.
વિંડીઝની હાલત ખરાબ
દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સિલેક્ટર્સનું કામ હોય છે યુવાનોને તૈયાર કરવાનું. બેંચ સ્ટ્રેન્થને મજબુત કરવું અને ટીમમાં ઘણા યુવા વિકલ્પ તૈયાર કરવાનું. તેનાથી એવું થશે કે જ્યારે પણ કોઇ સિનિયર ખેલાડી રિટાયર્ડ થશે ત્યારે ટીમને કોઇ તકલીફ નહી થાય. વેસ્ટ ઇન્ડિઝને જ જોઇ લો. આ ટીમે 15 વર્ષ રાજ કર્યુ અને નંબર 1 પર રહી હતી. હવે આ ટીમ ખુબ નીચે 8મા નંબર પર છે..
વન ડે ફોર્મેટમાંથી વિરાટને કપ્તાનીમાંથી હટાવી દીધો છે. ત્યારે ફેન્સ સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
ફેન્સે આપ્યા રિએક્શન
ફેન્સે સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રકારના રિએક્શન આપ્યા છે. કેટલાક લોકોએ કોહલીને સપોર્ટ કર્યો તો કેટલાક લોકોએ કહ્યું કે BCCIનો નિર્ણય એકદમ યોગ્ય છે. એક યુઝરે લખ્યું કે રોહીતને કપ્તાન બનાવવાથી હું ખુશ છુ પરંતુ કોહલી માટે પણ મને થોડુ દુઃખ છે. 2023ના વન ડે વર્લ્ડ કપ સુધી તો રોકાઇ ગયા હોત.
BCCIને નિર્ણય પર થશે પસ્તાવો
એક યુઝરે કોહલી સાથેની તસવીર શૅર કરીને કહ્યું કે રાજા એક વાર ફરી દહાડશે. સાથે જ પોસ્ટમાં બીસીસીઆઇને ટેગ કરીને કહ્યું કે તમને જલ્દી જ ખબર પડશે કે તમારો નિર્ણય ખોટો છે. એક યુઝરે લખ્યું કે દુનિયા જે પણ કહે તમે જ અમારા કપ્તાન રહેશો.