આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ એનટી રામા રાવની નાની દિકરી ઉમા માહેશ્વરીએ સોમવારે આત્મહત્યા કરી લીધી છે. ઉમા માહેશ્વરી કથિત રીતે સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓનો સામનો કરી રહી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. માહેશ્વરીએ હૈદરાબાદના જ્યૂબિલી હિલ્સ વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યૂબિલી હિલ્સ પોલીસ અધિકારી રાજશેખર રેડ્ડીએ જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસ અનુસાર, તે ખરાબ સ્વાસ્થ્યના કારણે ડિપ્રેશનનો શિકાર હતા.
Telangana | TDP founder & ex-CM NT Rama Rao's daughter, Uma Maheshwari found hanging at her residence in Hyderabad. Police shifted the body to a local govt hospital for postmortem. A case is being registered U/s 174 CrPC (Police to enquire&report on suicide), further probe is on. pic.twitter.com/1WYIMo2ndd
આ મામલામાં હવે એક કેસ ફાઈલ કરવામાં આવ્યો છે અને લાશને ઉસ્માનિયા હોસ્પિટલમાં ટ્રાંસફર કરવામાં આવી છે. ઉમા માહેશ્વરીના નિધન પર સમગ્ર એનટીઆર પરિવાર શોકમાં છે. ઉમા માહેશ્વરીનું ઘર એનટીઆરના પરિવારના અન્ય સભ્યો પહોંચી ચુક્યા છે. ચંદ્રબાબૂ નાયડૂ પણ જલ્દી ત્યાં પહોંચશે. વિદેશમાં રહેલ જૂનિયર એનટીઆરને ઉમા માહેશ્વરીના નિધનના સમાચાર આપવામાં આવ્યા છે. હાલમાં તેમના પાર્થિવ દેહને દર્શન માટે ઘર પર રાખવામાં આવ્યો છે. આ સમયે એનટીઆર પરિવારના સભ્યો, સંબંધીઓ અને મોટી હસ્તીઓ હાજર છે. ઉમા માહેશ્વરીના નિધન પર કેટલાય લોકો શોક મનાવી રહ્યા છે.
12 ભાઈ-બહેનમાં સૌથી નાની દિકરી છે ઉમા
જ્યૂબિલી હિલ્સના સીઆઈ રાજશેખર રેડ્ડીએ જણાવ્યું છે કે, આ આત્મહત્યાનો કેસ છે અને તપાસ બાદ જ કારણ જાણવા મળશે. આપને જણાવી દઈએ તે, તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એનટીઆરના 12 બાળકોમાં સૌથી નાની દિકરી હતી. સાથે જ ચાર બહેનોમાં પણ સૌથી નાની બહેન હતી. તેમના પિતા એનટી રામા રાવ, જેમણે એનટીઆરના નામથી ઓળખવામાં આવે છે. ટીડીપીના સૌથી મોટા નેતાઓમાંના એક હતા.
NTRએ 1982માં બનાવી હતી TDP
અભિનેતામાંથી રાજકારણી બનેલા એનટીઆરે 1982માં તેલુગુ સ્વાભિમાનના નારા પર ટીડીપી પાર્ટી બનાવી હતી અને નવ મહિનાની અંદર પાર્ટીને સત્તામાં લાવીને એક પ્રકારનો રેકોર્ડ બનાવી દીધો હતો. તેની સાથે જ તત્કાલિન અવિભાજિત આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન સમાપ્ત થઈ ગયું હતું. તેમના જમાઈ ચંદ્રબાબૂ નાયડૂના નેતૃત્વમાં વિદ્રોહ બાદ સત્તામાંથી બહાર કર્યા બાદ થોડા મહિના બાદ 72 વર્ષની ઉંમરે 1996માં તેમનું મૃત્યુ થઈ ગયું. હાલમાં જ ઉમા માહેશ્વરીની દિકરીના લગ્નમાં કેટલાય સભ્યો એક સાથે લગ્નમાં જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, અભિનેતા અને પૂર્વ મંત્રી એન હરિકૃષ્ણા સહિત એનટીઆરના ત્રણ દિકરાના નિધન થઈ ચુક્યા છે.