રાજકોટ સિવિલમાં બ્લડ ચડાવ્યા બાદ થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મૃત્યુ અંગે તપાસ કમિટીની રચના, યુવતીના મૃત્યુ અંગે તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ, થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ ટીમમાં સામેલ
રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મૃત્યુનો મામલો
યુવતીના મૃત્યુ અંગે તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ
યુવતીનું મૃત્યુ ક્યાં કારણોસર થયું તે દિશામાં કરશે તપાસ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું રિએક્શન બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મૃત્યુ પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે તેની તપાસ ચાલી રહી છે. જોકે, યુવતીના પરિવારજનોએ LR ફિલ્ટર વગરનું બ્લડ ચડાવી દેવાતા યુવતીનું મૃત્યુ થયાનો આક્ષેપ લગાવ્યો છે. જે સમગ્ર બાબતે તપાસ કમિટીની રચના કરવામાં આવશે.
યુવતીના મૃત્યુ અંગે તપાસ કમિટીની રચના
રાજકોટ સિવિલમાં બ્લડ ચડાવ્યા બાદ થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મૃત્યુ અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવશે. તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાશે અને જેમાં થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ કમિટી ટીમમા સામેલ રહેશે. કમિટીનું મુખ્ય કાર્ય યુવતીનું મૃત્યુ કયા કારણોસર થયું તે દિશામાં તપાસ કરવાનું કરશે. યુવતિના મૃત્યું પાછળ પરિવારજનોએ બ્લડ ઇન્ફેક્શન હોવાનો દાવો કર્યો છે. સામાન્યત થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR ફિલ્ટરવાળું બ્લડ ચડાવવાનું હોય છે પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે યુવતીને LR ફિલ્ટર વગરનું બ્લડ ચડાવી દેવાતા તેનું મૃત્યુ થયું છે.
બ્લડ ગ્રૂપ અંગે પણ કરશે તપાસ
થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એક્સપર્ટ પણ ટીમમાં સામેલ છે. યુવતીનું મોત ક્યાં કારણોસર થયું તે દિશામાં તપાસ કરવામાં આવશે.પરિવારજનોએ આ મોત પાછળ બ્લડ ઇન્ફેક્શન હોવાનો આક્ષેપ કર્યો છે. વિધિ પીઠવાને 14 વર્ષથી બી નેગેટિવ બ્લડ ચડાવવામાં આવતું હતું અને આ વખતે પણ બી-નેગેટિવ બ્લડ ચડવવામાં આવ્યું હતું કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરાઈ છે. તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે.
સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન
રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત યુવતીના મૃત્યુ પર આક્ષેપ મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે તપાસ સમિતિની રચના કરી છે. મશીનરીના અભાવના કારણે આ ઘટના બની નથી. અમે LR મશીનરીની સરકાર પાસે માંગ કરી છે. યુવતીનું મૃત્યુ રિએક્શનના કારણે થયું નથી. તેમ છતાં તપાસ સમિતિ યોગ્ય તપાસ કરશે.
સિવિલ નિયમનો કરે છે ભંગ?
થેલેસિમિયા દર્દીને ચડાવાતા લોહીમાં મશીન મારફત લાલ રક્તકણો અલગ કરી દેવાય છે. આ LR લોહી બાદમાં થેલેસેમિક દર્દીઓને અપાય છે જેથી રિએક્શન ન આવે. જોકે, આ આજે સામે આવેલા કિસ્સા પરથી એવું લાગી રહ્યું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ જ નિયમનો ભંગ કરી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેના માટે ખાસ મશીનની જરૂર પડે અને તેનો ખર્ચ મોટો હોવાથી સરકારમાં મંજૂરી માગી છે