પાકિસ્તાન રહેતા આતંકવાદી મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરવા ભારતે લગભગ 10 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મસૂદને આતંકી ઘોષિત કરવાના પ્રયત્નોમાં ચીને વારંવાર અવરોધ ઊભો કર્યો હતો.
એસ. જયશંકરે UNSC માં આપ્યું મહત્વનું નિવેદન
UNSC માં ભારત સભ્ય બનતા વિદેશમંત્રીએ કર્યું સંબોધન
UNSC માં ચીન - પાકિસ્તાન બંને પર સાધ્યું નિશાન
ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધીને કહ્યું હતું કે આતંકવાદ અથવા આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લાદવાના પ્રયત્નોમાં અવરોધ નાંખવો બંધ કરવો જોઈએ. ભારતે આડકતરી રીતે ચીનનો હવાલો આપ્યો છે, જેણે જૈશ-એ-મોહમ્મદ ના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોને વારંવાર અવરોધિત કર્યા હતા.
ભારતે અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સખત મહેનત કરી હતી
વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, આપણે આ લડતમાં બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં. આતંકવાદીઓ આતંકવાદી છે. સારો કે ખરાબ કોઈ આતંકવાદી નથી હોતો. જેઓ એવું માને છે તેનો પોતાનો એજન્ડા છે અને જેઓ તેમને છુપાવવા માટે કામ કરે છે તે પણ દોષી છે. તેમણે કહ્યું કે, આતંકવાદ વિરોધી અને તેને નષ્ટ કરવા માટે જવાબદારી સમિતિઓની કામગીરી પણ સુધારવી પડશે.આ પ્રયત્નોને અટકાવવા વાળા તે ફક્ત અમારી સામૂહિક એકતાની વિશ્વસનીયતા ઘટાડે છે. "
એસ. જયશંકર દરખાસ્ત 1373 (2001) ને સ્વીકૃત કર્યાના વિષયે UNSC ની બેઠકમાં સંબોધન કરી રહ્યા હતા. વિદેશ મંત્રીએ આ મહિનામાં 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ભારતના હંગામી સભ્ય તરીકેના બે વર્ષના કાર્યકાળની શરૂઆત પછી પ્રથમ વખત તેને સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSC માં પાંચ કાયમી સભ્યો અને 10 અસ્થાયી સભ્યો છે.
દાઉદ ઇબ્રાહિમને લઈને ભારતે સાધ્યું નિશાન
વિદેશ મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદને ન્યાયી ઠેરવવા અને તેનું ગૌરવ વધારવાની મંજૂરી આપવી જોઈએ નહીં. પાકિસ્તાનમાં સંતાઇ રહેલા દાઉદ ઇબ્રાહિમને આડકતરી રીતે ટાંકીને તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલને કહ્યું હતું કે, 1993 ના મુંબઈ બોમ્બ ધડાકા માટે જવાબદાર ગુનેગારોને માત્ર સરકારનું રક્ષણ જ નથી મળતું, પરંતુ તેઓ ફાઇવ સ્ટાર હોટેલ જેવી મહેમાનગતિ પણ માણે છે.