ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝની ત્રીજી અને અંતિમ મૅચમાં ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો.
ભારતે જીતી લીધી સિરીઝ
બે ખેલાડીઓ વગર મેદાનમાં હતી ટીમ
ચહલ અને કુલદીપ બન્યા હતા ઓડિયન્સ
સ્પિનર કુલદીપ યાદવને બદલે ફાસ્ટ બોલર ટી. નટરાજનને ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. કુલદીપની છેલ્લી કેટલીક મૅચો સારી રહી ન હતી, ત્યાર બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. 2017માં આયોજિત કરાયેલી ICC ચૅમ્પિયન્સ ટ્રૉફી બાદ આ પ્રથમ ઘટના હશે જેમાં ભારતીય ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અથવા કુલદીપ યાદવ વિના ટીમ મેદાન પર ઉતરી હોય.
કુલદીપ અને ચહલનું પ્રદર્શન 2019 વર્લ્ડ કપ બાદ ડાઉન થતું જોવા મળ્યું છે. જેનું પરિણામ એ થયું કે ભારતીય ટીમે બંનેમાંથી કોઈ એક સાથે મેદાનમાં ઉતરવું પડતું હતું. પરંતુ હવે લાગે છે કે આ રણનીતિ પર પણ વિરામ લગાવી દેવામાં આવ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતીય ટીમે 80 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમી છે. આ મૅચોમાં કુલદીપ અથવા ચહલ બંનેમાંથી કોઈ એક ટીમનો ભાગ રહ્યાં છે. પરંતુ ઈંગ્લેન્ડની વિરુદ્ધ ત્રીજી વન-ડેમાં બંને સ્પિનર્સને ટીમમાં જગ્યા મળી નહીં.
ધોનીના સંન્યાસ બાદ કુલદીપ-ચહલને સૌથી વધુ નુકસાન
કુલદીપ અને ચહલ જ્યારે પોતાના કરિયરની શરૂઆતી સમયમાં હતા ત્યારે વન-ડેમાં સૌથી ઘાતક સ્પિન જોડી ગણાતી હતી. બંનેને વિકેટની પાછળ મહેન્દ્રસિંહ ધોનીનો પણ સારો એવો સાથ મળતો હતો. ધોની બંને સ્પિનરને ક્યાં બોલ નાંખવો તે પણ જણાવતો હતો. ધોનીના સંન્યાસ બાદ તેનું સૌથી વધુ નુકસાન કુલદીપ અને ચહલને થયું છે.