'ઓલ ઇન્ડિયા એન્ટી ટેરિસ્ટ ફ્રન્ટ' (AIATF) ના અધ્યક્ષ મનિન્દરજીત સિંહ બિટ્ટા (Maninderjeet Singh Bitta) એ સંવિધાનના અનુચ્છેદ 370 અને 35એ ને રદ્દ કરવા માટે સંસદમાં મતદાન કરવાની માંગ કરતા કહ્યું કે, જેથી રાષ્ટ્ર્ના 'ગદ્દારો' ની ઓળખ કરવામાં મદદ મળશે.
બિટ્ટાએ કહ્યું કે કાશ્મીરમાં આ બંને અનુચ્છેદ રદ્દ થયા બાદ આખા દેશના લોકોએ કાશ્મીર ખીણને ફરી જન્નત બનાવવા માટે જમીન ખરીદવી જોઇએ. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 'સંસદમાં સત્ર ચાલી રહ્યું છે અને સરકારે એ જાણવા મતદાન કરવું જોઇએ કે સંવિધાનના અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એ કોણે-કોણે રદ્દ કરવા માંગે છે. તેથી રાષ્ટ્રને રાષ્ટ્રવાદીઓ અને ગદ્દારો વિશે જાણકારી મળશે'.
પંજાબમાં ખાલિસ્તાનના નામે આંતકવાદને ફરી ભડકાવાના સવાલ પર પણ બિટ્ટાએ જવાબ આપ્યો. એમણે કહ્યું કે, મુઠ્ઠીભર લોકો વિદેશમાં રહીને ષડયંત્ર રચી રહ્યા છે પરંતુ પંજાબના લોકો તેમને ક્યારેય સફળ નહીં દેશે નહીં.
મનિન્દરજીત સિંહ બિટ્ટાએ કહ્યું કે, 'અમે આ મામલે પાકિસ્તાન અને આઇએસઆઇના કોઇપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા દ્રઢનિશ્ચય કર્યો છે.'