દિલ્હી: ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઈનું ગતરોજ દેહાવસાન થતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે આજરોજ ખાતે યોજાયેલ તેમના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ત્યારે સૌથી છેલ્લે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને શ્રધ્ધા સુમન અર્પવા માટે પહોંચ્યા હતા. જો કે આ ઘટનાને નરી આંખે જોનાર સૌના મનમાં એક સવાલ હતો કે ભારતના રાષ્ટ્રપતિ સૌથી છેલ્લે કેમ આવ્યા. 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરીનો કાર્યક્રમ યોજાયો હોય તો ભારતના રાષ્ટ્રપતિને અગ્રીમ સ્થાન આપવામાં આવે છે.
કેમ હોય છે આવી પ્રથા
જ્યારે કોઇ શાસકીય કાર્યક્રમ હોય છે ત્યારે રાષ્ટ્રપતિ છેલ્લે આવે છે અને કાર્યક્રમમાં સૌથી પહેલા વિદાય લે છે. આવો જ એક પ્રોટોકોલ આજે જોવા મળ્યો હતો. આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈને શાસકીય શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી હતી.
શું હોય છે પ્રોટોકોલ
1 રાષ્ટ્રપતિ-દેશના સર્વોચ્ચ સ્થાન પર બિરાજમાન હોય છે. આ સાથે તેમને દેશના પ્રથમ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિનું સ્થાન દેશમાં સર્વોપરી હોય છે. કોઇપણ કાર્યક્રમમાં જ્યાં વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ અને નેતાગણ એકત્રિત થવાના હોય તે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ છેલ્લે આવે છે અને સૌથી પ્રથમ તે કાર્યક્રમમાંથી વિદાય લેતા હોય છે.
આપને જણાવી દઇએ કે જ્યાં સુધી ભારતના વડાપ્રધાન કાર્યક્રમ સ્થળ પર હાજર હોય છે તે સ્થળ પરથી દેશના ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન તે સ્થળથી વિદાય લઇ શકતા નથી. જો કે જ્યારે રાષ્ટ્રપતિ કાર્યક્રમ સ્થળની મુલાકાત લે છે ત્યારે તેમનું સ્વાગત ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન કરે છે.
2 ઉપરાષ્ટ્રપતિ- રાષ્ટ્રપતિ પછી દેશનાં બીજા સર્વોચ્ચ સ્થાન પર ઉપરાષ્ટ્રપતિ બિરાજે છે. કાર્યક્રમ સ્થળ પર આવવા-જવા તેમનો બીજો નંબર આવે છે. તેમની આગતા-સ્વાગતા વડા પ્રધાન કરે છે.
3 આ બંન્ને મહાનુભાવો બાદ ત્રીજા સ્થાને વડાપ્રધાન આવે છે. આપને જણાવી દઇએ કે ભારતના વડાપ્રધાનનું પણ કોઇપણ કાર્યક્રમ સ્થળે આવવુ-જવું તેના માટે પણ ખાસ પ્રોટોકોલ હોય છે. વડાપ્રધાનની આગતા-સ્વાગતા માટે જે-તે વિસ્તારના મુખ્યમંત્રી કે કેબિનેટ મંત્રી કરે છે.
4 ત્યારબાદ નંબર હોય છે રાજ્યપાલનો.
5 રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન બાદ મુખ્ય ન્યાયાધીશ અને લોકસભાના અધ્યક્ષનો નંબર લાગે છે.
6 ઉપરના તમામ મહાનુભાવો પછી કેબિનેટ મંત્રી રાજ્યના મુખ્યમંત્રીનો નંબર હોય છે.