મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ એ બોબડે આવતા મહિને નિવૃત થવા જઈ રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં 4 જજોની અછત છે
અકીલ કુરૈશીનું નામની ચર્ચા
5 વર્ષમાં પહેલી વાર હશે કે વર્તમાન સીજેઆઈ વગર કોઈ નિયુક્તિએ નિવૃત થશે
અકીલ કુરૈશીનું નામ સામે આવી રહ્યું છે
ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એસએ બોબડેનો 14 મહિનાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેમના રિટાયરમેન્ટમાં લગભગ 1 મહિનાનો સમય બચ્યો છે. પરંતુ હજું સુધી નેતૃત્વવાળા કોલેજિયમ (Collegium)ના જજને લઈને એક પણ સૂચન આવ્યું નથી. બોબડેએ 2019માં સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જો કે આ દરમિયાન ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરૈશીનું નામ સામે આવી રહ્યું છે.
5 વર્ષમાં પહેલી વાર હશે કે વર્તમાન સીજેઆઈ વગર કોઈ નિયુક્તિએ નિવૃત થશે
આ પહેલા એવું વર્ષ 2015માં સીજેઆઈ એચ એલ દત્તુના કાર્યકાળ દરમિયાન થયું હતુ. તે સમયે ન્યાયપાલિકા અને સરકારની વચ્ચે નેશનલ જ્યૂડિશિયલ અપોઈન્ટમેન્ટ્સ કમિશન (NJAC)ને લઈને ગજગ્રહ ચાલી રહ્યો હતો. જો કે આ વખતે આ ગજગ્રહ આંતરિક છે. મનાઈ રહ્યું છે કે જસ્ટિસ બોબડેના મામલામાં 5 વર્ષમાં પહેલી વાર હશે કે વર્તમાન સીજેઆઈ વગર કોઈ નિયુક્તિએ નિવૃત થશે.
શું હોઈ શકે છે કારણ?
અંગ્રેજી અખબારની રિપોર્ટ મુજબ સૂત્રોના જણાવ્યાનુંસાર કોલેજિયમમાં જસ્ટિસ અકીલ કુરૈશીની નિયુક્તિને લઈને સહમતિ નથી બની રહી. જો કે આવું પહેલી વાર નથી જ્યારે કુરેશીનું નામ લઈને વાત નક્કી થવામાં મુશ્કેલી આવી રહી હોય. જસ્ટિસ કુરૈશીની ત્રિપુરા સીજે તરીકે નિયુક્તિ દરમિયાન પણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ માટે વિવાદની સ્થિતિ બની હતી. ત્યારે કોલેજિયમનું નેતૃત્વ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈ કરી રહ્યા હતા. આ કોલેજિયમમાં સીજેઆઈ બોબડે, એન.વી. રામન્ના, રોહિંટન નરીમન, યૂ યૂ લલિત, એ એમ ખાનવિલકર સામિલ છે. ખાસ કરી ને કોલેજિયમમાં ગતિરોધ એવા સમયે સામે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં 6 જજોની નિયુક્તિ થવાની છે.
સુપ્રીમ કોર્ટમાં 4 જજોની અછત છે
સુપ્રીમ કોર્ટમાં 4 જજોની અછત છે. જ્યારે 2 જજ બોબડે અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા રિટાયર થવા જઈ રહ્યા છે. બન્નેની નિવૃત્તિ આવતા મહિને થવાની છે. ત્યારે જજ અશોક ભૂષણ, રોહિંટન નરીમન અને નવીન સિન્હા આ વર્ષે નિવૃત્ત થશે. ત્યારે વરિષ્ઠતાના આધાર પર જસ્ટિસ કુરેશી ત્રણ નંબર પર છે. તેમની પહેલા ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી એન પટેલનું નામ સામેલ છે.