ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ મેનૂ લેબલિંગ માટે મહત્વપૂર્ણ નિયમ તૈયાર કર્યો છે. જે અંતર્ગત હવે રેસ્ટોરન્ટના મેનૂ કાર્ડમાં ખોરાકની ન્યૂટ્રિશન વેલ્યૂ લખવી જરૂરી છે. આનાથી તમને ખબર પડશે કે, તમારા ખોરાકમાં કેટલી કેલરી છે. આટલું જ નહીં, મેનુને લેબલ કરતી વખતે પોષક તત્વોનું પ્રમાણ પણ લખવું પડશે. ભારત સરકારે એક નવું લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન બહાર પાડ્યું છે. જે પ્રમાણે આ 10થી વધુ ચેનવાળી રેસ્ટોરન્ટ્સ પર લાગુ થશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઘણાં સમયથી લેવલિંગ રેગ્યુલેશનને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને હવે તેને નોટિફાઈ કરી દેવામાં આવ્યું છે.
હોટલો અને રેસ્ટોરન્ટને લઈને સરકારે જારી કર્યો નિયમ
હવે રેસ્ટોરન્ટવાળાઓએ આ જાણકારી આપવી પડશે
ભારત સરકારે એક નવું લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન બહાર પાડ્યું છે
તમને જણાવી દઈએ કે, એફએસએસએઆઈનો આ નવો નિયમ 10થી વધુ બ્રાન્ચવાળા રેસ્ટોરન્ટ્સ પર લાગુ થશે. જે પ્રમાણે સેન્ટ્રલ લાઇસન્સ લઈને અથવા દસથી વધુ સ્થળોએ રેસ્ટોરન્ટ ચલાવતી કંપનીઓએ તેમના મેનૂ કાર્ડ્સમાં કેલરી સંબંધી માહિતી આપવી જરૂરી બની ગઈ છે. ઉપરાંત, મેનૂ કાર્ડમાં લખવું પડશે કે એક વ્યક્તિ માટે કેટલી પૂરતી છે.
ભારત સરકારની આ સૂચના મુજબ મેનુ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ અથવા બુકલેટની સાથે ખાવાની વસ્તુઓની સાથે તેની ન્યૂટ્રિશન વેલ્યૂ વિશે જાણાકરી આપવી જરૂરી છે. પિત્ઝા, બર્ગર વેચતી ફૂડ ચેઇન, પિત્ઝા હટ, ડોમિનોઝ, મેકડોનાલ્ડ્સે કેલરી વિશે જણાવવું પડશે.
100 ગ્રામ બર્ગરમાં 295 કેલરી હોય છે
એક 100 ગ્રામ પિત્ઝામાં 260 કેલરી હોય છે જ્યારે સો ગ્રામ બર્ગરમાં 295 કેલરી હોય છે. એક સક્રિય પુખ્ત વયની વ્યક્તિને દરરોજ 2000 કેલરીની જરૂર હોય છે. એક્ટિવિટી પ્રમાણે લોકોની કેલરી આવશ્યકતાઓ અલગ અલગ હોઈ શકે છે. આ રીતે, દરેક ફૂડ આઈટમ તેની ન્યૂટ્રિશન વેલ્યૂ લખેલી હોવાથી ખબર પડશે કે કેટલી કેલરી લઈ શકાય છે.