જાણીતા લોકગાયક અને હેમુ ગઢવીના પુત્ર બિહારીદાન ગઢવીના પત્ની અરૂણાબેનનું નિધન, સમગ્ર સાહિત્ય સમાજમાં શોકનું વાતાવરણ
સાહિત્યકાર બિહારીદાન ગઢવીના પત્નીનું નિધન
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ચાલતી હતી સારવાર
ગુજરાતના જાણીતા લોકગાયક બિહારીદાન ગઢવીના પત્ની અરૂણાબેનનું નિધન થયું છે. અરૂણાબેનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં હાર્ટ અટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટનાની જાણ થતા સમગ્ર લોકસાહિત્ય સમાજમાં શોકનું વાતાવરણ છવાયું છે.
સાહિત્યકારોએ આપી શ્રદ્ધાંજલિ
જાણીતા લોકસાહિત્યકાર અને હેમુ ગઢવીના પુત્ર બિહારીદાન ગઢવીના પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ સમગ્ર લોક સાહિત્યના કલાકારો અને ગાયકોએ શોક વ્યક્ત કર્યો છે. લોકગાયક હેમંત ચૌહાણે પણ ફેસબુકના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં કોરોનાની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું, કેસ વધતાની સાથે સમસ્યા વધે છે. ફેબ્રુઆરીમાં ગુજરાતમાં 300 કેસ રોજ આવતા હતા. આજે 4 હજાર કેસ થઈ ગયા છે. જેને લઈ સરકારે ત્રણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં ટેસ્ટિંગ વધારવું, આજે રોજના સવા લાખ ટેસ્ટિંગ રાજ્યભરમાં થઈ રહ્યા છે. તો રાજકોટની સમરસ હોસ્ટેલમાં ઓક્સિજનની પાઈપલાઈન નાખવાની કામગીરી થઈ રહી હોવાની પણ વાત કરી છે.
રાજકોટમાં કેટલા બેડ ખાલી?
મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં નવા કેસ સામે આવતા નવા 15 હજારથી વધુ બેડ વધાર્યા છે. રાજકોટમાં પણ 6631 બેડની કુલ સંખ્યા આગામી દિવસમાં થઈ જશે. રાજકોટમાં હાલ 4293 બેડ રાજકોટ જિલ્લામાં છે. હાલ રાજકોટમાં 1700 બેડ ખાલી છે. આ બેડ સમરસ હોસ્ટેલ અને સિવિલ હોસ્પિટલ સહિતના કેન્દ્રોની વાત છે.
રાજકોટમાં નવા સેન્ટર કરાશે ઉભા
રાજકોટમાં સમરસ હોસ્પિટલમાં ઓક્સિજન પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. સમરસના 8 માળનો સંપૂર્ણ ઉપયોગ કરાશે. સાથે સમરસમાં 500 નવા બેડ ઉભા કરાશે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર કોવિડ સેન્ટર ઉભું કરાશે. જ્યાં 200 નવા બેડ ઉભા કરાશે. આ સાથે અમૃત ઘાયલ કોવિડ હોલમાં ઓક્સિજનની પાઈપલાઈન નખાશે. ત્યાં પણ કોવિડના દર્દીઓને રાખવામાં આવશે.