હરિદ્વાર કુંભમાં સનાતન સંસ્કૃતિની સાથે ઋષિકુલ માર્ગની 800 મીટર લાંબી દિવાલ પર લોક સંસ્કૃતિના દર્શન
કુંભ મેળાના આયોજક સિદ્ધાર્થ ચક્રપાણીએ દાવો કર્યો હતો કે, મહામારીની ચિંતા પણ અમે સાવધાન રાખી રહ્યા છીએ. તો બીજી તરફ કુંભના મેળાને લઈ કેન્દ્ર સરકારે SOP પણ જાહેર કરી છે. ત્યારે હવે કુંભ મેળાની ભરપૂર તૈયારીઓ પણ થઇ રહી છે. જેમાં હરિદ્વારની દિવાલો પર લોકસંસ્કૃતિના દ્રશ્યો કંડારવામાં આવી રહ્યા છે. આને ધર્મનો મેળો અને મેળા પથ નામ આપવામાં આવ્યું છે. દિવાલ પર દેવભૂમિ ઉત્તરાખંડના ચારેય ધામ, મુખ્ય ધાર્મિક સ્થળોના ભીંતચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ રાજ્યના મેળાઓ અને પર્વોની સચિત્ર જાણકારી આપવામાં આવી રહી છે.
भारत की सांस्कृतिक और आध्यात्मिक चेतना का स्पंदन है महाकुंभ। दिव्य, भव्य और सुरक्षित महाकुंभ के लिए धर्मनगरी हरिद्वार तैयार है। #Mahakumbh2021pic.twitter.com/s2oB6ppQ1L
મેળા સ્થાપના હરિદ્વાર કુંભ અને હરિદ્વાર રૂરકી ડેવલપમેન્ટ ઓથોરિટી(HRDA)ના સહયોગથી ઋષિકુલ મેદાનમાં અસ્થાયી બસ સ્ટેશનની નજીક આવેલા ઋષિકુલ માર્ગની દિવાલ પર બનાવવામાં આવી રહેલા ધર્મ પથને ચારધામ યાત્રાની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથના ભીંતચિત્રો લગાવ્યા છે.
આ સિવાય ભગવાન શિવનો મહિમા દર્શાવતા ભીંતચિત્રો પણ લગાવ્યા છે. હજુ પણ આ જગ્યાના સૌંદર્યકરણનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ મેળા પથ પર ઉત્તરાખંડના મુખ્ય પારંપરિક ખાણી-પીણીને પણ દર્શાવવામાં આવી છે.
નંદાદેવી રાજજાત યાત્રા, બિસ્સુ મેળો, હરેલા, ફૂલદેઈ, સ્યાલ્દે બિખૌલી મેળો, ગંગા દશેરા, બિડાલી મહોત્સવ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિવાલોને રંગબેરંગી ચિત્રો અને મ્યુરલ દ્વારા સજાવવામાં આવી રહ્યા છે, જેનાથી અહીંથી પસાર થતા દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યની સંસ્કૃતિની પણ માહિતી મળે. અહીં પર લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ રાત્રે પણ ધર્મ પથ પરચાલીને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરી શકે.
મેળા સ્થાપના આનાથી પૂર્વ મેળા ભવનથી અંદાજીત 2 કિલોમીટર લાંબી દિવાલ પર આ પ્રકારે રામપથનું નિર્માણ કરાઇ ચૂક્યું છે. રામપથ પર રામાયણના મુખ્ય 46 પ્રસંગ ચિંત્રો અને મ્યૂરલના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. ઋષિકુલ પર ધર્મ અને મેળા પથ કુંભ મેળા ક્ષેત્રમાં ભ્રમણ કરનારામાં ધર્મ અને આદ્યાત્મનો ભાવ જાગેલો રહે છે.