નાણામંત્રી નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ, હેલ્થ માટે 50,000 કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે.
અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા મોદી સરકારની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સ કરી
કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડની જાહેરાત
હેલ્થ માટે 50,000 કરોડ ફાળવાશે
અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા મોદી સરકારે અપેક્ષા મુજબ મોટી જાહેરાત કરી દીધી છે. નાણામંત્રી સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રુપિયા તથા હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રુપિયા ફાળવશે.
નાણામંત્રીએ નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ માટેના ફંડિગમાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. હાલમાં આ સ્કીમ 3 લાખ કરોડ રુપિયાની છે જેને વધારીને 4.5 લાખ કરોડ કરી દેવાઈ છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી એમએસએમઆઈ, હોસ્પિટિલિટી સેક્ટરને 2.69 લાખ કરોડ રુપિયા વિતરીત કરી દેવાયા છે.
માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત
તે ઉપરાંત માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશના માધ્યમથી અપનારા લોન માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ એક નવી સ્કીમ છે. તેની હેઠળ કર્મશિયલ બેન્કને અપાયેલ અેમએફઆઈ તથા હાલની લોનની ગેરન્ટી આપવામાં આવશે. આ યોજનાથી 25 લાખ લોકોને ફાયદો થવાની આશા છે.
નાણામંત્રીએ કહ્યું કે 8 આર્થિક રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં ચાર બિલકુલ નવા છે અને એક ખાસ કરીને હેલ્થ સેક્ટર માટે છે.
પ્રવાસન સેક્ટર માટે સરકારની મોટી જાહેરાત
પ્રવાસન ક્ષેત્ર માટે પણ સરકારે મોટું પગલું ભર્યું છે. ટુરિસ્ટ ગાઈડ અને બીજા લોકોની પણ મદદ કરવામાં આવશે. આનો લાભ 10700 ટુરિસ્ટ ગાઈડનો લાભ મળશે. એક લાખ રુપિયાની સહાયતા ટુરિસ્ટ ગાઈડને આપવામાં આવશે. ટુરિસ્ટ એજન્સીને 10 લાખ રુપિયા સુધઈની મદદ કરવામાં આવશે. ભારત આવનાર 5 લાખ ટુરિસ્ટને વીઝા શુલ્ક નહીં આપવો પડે. 1.93 લાખ પ્રવાસીઓ 2019 માં ભારત આવ્યાં. આ સ્કીમ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. તેની પર કુલ 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કૃષિ રવિ સીઝન 2021-22 માં 432.48 લાખ ટન ઘઉની ખરીદી કરવામાં આવી. તે ઉપરાંત ન્યુટ્રિઅન્ટ આધારિત સબસિડીને 42,275 કરોડ આપવામાં આવી છે.
બાળકો માટેની હોસ્પિટલ સુવિધા માટે 23220 કરોડ રુપિયાની જોગવાઈ
બાળકો માટેની હોસ્પિટલ સુવિધા વધારવા માટે પણ સરકાર મોટું રોકાણ કરશે. તેને માટે 23220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત
આના સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા સેક્ટર્સ સંકટમાં છે અને આ અંગે સરકાર પાસેથી સહાયતા પણ માગવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્સને સહાયતા કરવા માટે સરકાર વિચાર કરી શકે છે, જે સૌથી વધુ સંકટમાં છે.