નવી દિલ્હી: જો તમે ફર્સ્ટ ફ્લાઇટ મોડી થવા અથવા કેન્સલ થવા પર કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકતા નથી તો તેવી સ્થિતિમાં એરલાઇન્સ કંપનીએ તમને 20 હજાર રૂપિયા સુધીનું વળતર આપવું પડી શકે છે. ડીજીસીએ યાત્રીઓના અધિકારો અને જવાબદારીઓને પરિભાષિત કરતાં પેસેન્જર ચાર્ટરમાં તેને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કોઇ પેસેન્જરને ટિકિટ હોવા છતાં પ્લેનમાં બેસવા નહીં દેવાય તો એરલાઇન્સે તેને રૂ.પ ૦૦૦નું વળતર આપવું પડશે.
ઘણી વખત ફ્લાઇટ ઓવરબુક થતાં પેસેન્જરને બોર્ડિંગની પરવાનગી અપાતી નથી. આ પગલાંનો ઇન્ડિગો જેટ એરવેઝ સ્પાઇસ જેટ અને ગો એર જેવા મેમ્બરવાળા ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ ઉપરાંત વિસ્તારા અને એર એશિયા જેવા નોન એફઆઇએ મેમ્બર્સે વિરોધ કર્યો છે.
પ્રપોઝલ મુજબ ડીજીસીએએ પહેલી વાર પહેલી ફ્લાઇટમાં લેટ થવાના કારણે કનેક્ટિંગ ફલાઇટ મિસ થતાં પેસેન્જરને રૂ.ર૦ ૦૦૦ સુધીનું વળતર આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે એટલું જ નહીં વળતર તે લોકોને પણ આપવાની પ્રપોઝલ છે જેની પહેલી ફ્લાઇટ રદ થવાના કારણે કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જશે.
ડીજીસીએ કહ્યું કે બે કલાકથી વધુ મોડું થવાનું હોય ત્યારે પેસેન્જરને પ્લેનમાંથી ઉતારવા પડશે. ખાસ કરીએ આવું ધુમ્મસના દિવસોમાં થતું હોય છે. એફઆઇએએ હાલમાં ચાર્ટરના જે નોર્મ્સ બનાવ્યા છે તેમાં વળતરની કોઇ જોગવાઇ નથી. વળી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ માટે વળતર અલગ અલગ નક્કી કરવાનું કહેવાયું છે.
જો કે FIA અને બીજી એરલાઇન્સએ એ પ્રપોઝલ પર પણ વાંધો ઊઠાવ્યો છે જેમાં ફ્લાઇટ રદ થવાના 24 કલાક પહેલા જણાવવું અથવા ટિકીટના પૂરા પૈસા પાછા આપવાનું પ્રપોઝલ આપવામાં આવ્યું છે.