બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / FLAG to be hoisted at pavagadh mahakali mandir after centuries, hisotrical work by pm modi

ઐતિહાસિક / સદીઓ બાદ પાવાગઢમાં થશે ધજારોહણ, PM મોદીના હસ્તે રચાશે ઈતિહાસ, જાણો કેમ ખંડિત હતું શિખર

Parth

Last Updated: 03:48 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવાગઢમાં સદીઓ બાદ મંદિર પર શિખર તૈયાર કરવામાં આવ્યું છે અને PM મોદીના હસ્તે હવે ધજા ચડાવવામાં આવશે.

  • પ્રધાનમંત્રીના હસ્તે પાવાગઢમાં સદીઓ બાદ ઈતિહાસ થશે પુનર્જીવિત 
  • સદીઓ બાદ માતાજીના મંદિર પર લહેરાશે ધજા 
  • જાણો કેમ વર્ષોથી દેવીના મંદિર પર ન હતી ધજા અને શિખર? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ મંદિરમાં દર્શન અને પૂજન માટે જવાના છે, પણ આ જ દિવસે પાવાગઢના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય પણ જોડાવવા જઈ રહ્યો છે.  સદીઓ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાવવામાં આવશે અને PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે. 

નવનિર્મિત મંદિર:

સદીઓ બાદ માતાજીના મંદિરમાં ભવ્ય શિખર 
પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી હતી નહીં.  મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે PM મોદી. 

પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે. 

સોનાનો કળશ અને ધજાદંડ 
નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે. 

મંદિર પર કેમ ન હતી ધજા? 
નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. 

દરગાહ વિવાદનો સુખદ અંત 
પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે. 

પાવાગઢમાં હજુ પણ કરાશે કરોડોના કામો 

  • દુધિયા તળાવની સુંદરતામાં વધારો કરવામાં આવ્યો 
  • માતાજીના મંદિર સુધી પહોંચવા બનાવાશે 210 ફૂટની લિફ્ટ 
  • 40 સેકન્ડમાં પહોંચી જવાશે મંદિરે 
  • 12 કરોડના ખર્ચે તૈયાર થશે અન્નક્ષેત્ર
  • 2 ચરણમાં માચીનો પણ કરાશે વિકાસ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ