તેલંગાણાના શ્રી શૈલમ બંધના કિનારે સ્થિત હાઇડ્રો પાવર સ્ટેશન પર શુક્રવારે ભયંકર આગ ફાટી નીકળી છે. તેલંગણાના લેફ્ટ બેંક પાવર સ્ટેશનમાં લાગેલી આગમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં હતા.
તેલંગાણાના શ્રી શૈલમના પાવર સ્ટેશનમાં આગ
9 લોકોના કમકમાટીભર્યા મોત
આ ઘટનામાં 10 લોકોને બચાવી લેવાયા
ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 10 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનાની તપાસ CIDને સોંપવામાં આવી છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી મોદી અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.
PM મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
Fire at the Srisailam hydroelectric plant is deeply unfortunate. My thoughts are with the bereaved families. I hope those injured recover at the earliest.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના. એવી અપેક્ષા છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઈ જશે.
શુક્રવારે વહેલી સવારે અચાનક ભભૂકી ઉઠી આગ
Fire broke out at Left Bank Power House in Srisailam, in Telangana side, late last night. Fire engine from Atmakur Fire Station, Kurnool deployed. Ten people rescued, of which 6 are under treatment at a hospital in Srisailam. Nine people still feared trapped. More details awaited https://t.co/Y3uoIioR4bpic.twitter.com/p9WNoytpsF
મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે તેલંગાણાના લેફ્ટ બેંક પાવર સ્ટેશનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે આખી ઇમારત ધુમાડામાં ફેલાઇ ગયો હતો. આગની જાણ થતાં જ સ્ટેશનની અંદરના સ્ટાફે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના કર્મચારીઓએ ફસાયેલા 10 લોકોને બહાર કાઢ્યા હતા. કહેવાય છે કે આમાંથી 6 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.