દિલ્હીના અનાજ માર્કેટમાં એક ફેક્ટરી ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાએ 43 લોકોના જીવ લીઘા અને લગભગ 56 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં અનાજ માર્કેટમાં બની હતી આગની ઘટના
24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી નીકળે છે ધુમાડો
43 લોકોના મોત બાદ પણ ઠંડી નથી પડી આગ
દિલ્હીના અનાજ માર્કેટમાં એક ફેક્ટરીમાં ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાએ 43 લોકોના જીવ લીઘા અને લગભગ 56 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
Delhi: A fire has broken out in the same building in Anaj Mandi, Rani Jhansi Road where 43 people had died in a fire incident yesterday. Four fire tenders have been rushed to the spot. pic.twitter.com/f1heEaQ7dU
સોમવારની સવારે ઘટના બની હતી તે બિલ્ડિંગમાંથી જ્યારે ધુમાડો નીકળવા લાગ્યો તો નગર નિગમ સતર્ક થયું અને બિલ્ડિંગમાં આગ ફરીથી ન ફેલાય તે માટે ઘટના સ્થળે પહેલેથી જ ફાયર બ્રિગેડને મોકલી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાંકડી ગલીઓ, નાની સીડીઓ અને સાથે ગેપ વિનાના મકાનોને કારણે રવિવારે સવારે લોકોને બચાવવામાં તકલીફ પડી હતી.
ન હતી બહાર આવવાની કોઈ પણ વ્યવસ્થા
શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ એટલી ભયાનક હતી કે ત્યાં સૂઈ જવાના કારણે ફસાયેલા 43 લોકોને ભાગવાનો પણ સમય મળ્યો નહીં. જે ફેક્ટરીમાં આગ લાગી તેની બારીઓ પર પ્લાસ્ટિકનો સામાન હતો અને વેંટિલેશનને માટેની પણ પૂરતી વ્યવસ્થા ન હતી.
આ રીતે પહોંચ્યા ફાયરબ્રિગેડના કર્મચારીઓ
લોકોને બચાવવા જવા માટેની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગ્રિલ કાપીને અંદર ઘૂસ્યા હતા. આ કામમાં ઘણો વધારે સમય લાગી ચૂક્યો હતો. સાંજ થતાં સમાચાર આવ્યા કે કુલ મૃત્યુઆંક 43નો થયો છે.