ઓલ ઈન્ડિયા મજલિસ- એ- ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) નેતા વારિસ પઠાનની વિરુદ્ધ કર્ણાટકના કલબુર્ગી પોલીસે FIR નોંધી છે. વારિસ પઠાને એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું છે કે અમે 15 કરોડ જ 100 કરોડ લોકો પર ભારે છીએ. નાગરિક્તા સંશોધન એક્ટની વિરુદ્ધ કર્ણાટકના ગુલબર્ગામાં જનસભા દરમિયાન વારિસ પઠાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
વારિસ પઠાનની સામે વિરુદ્ધ ફરિયાદ
પાર્ટીએ તેમના પર સાર્વજનિક ભાષણ માટે પ્રતિબંધ મુક્યો છે
ભાજપે વારિસ પર પ્રતિબંધ મુકવા માટે માંગ કરી હતી
વારિસ પઠાનની વિરુદ્ધ ભારતીય દંડ સહિતા (IPC)ની કલમ હેઠળ 117, 153 (હિંસા ભડકાવવી) અને કલમ 153અ (બે સમૂહોમાં નફરત ફેલાવવી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
19 ફેબ્રુઆરીએ નાગરિક કાયદા(સીએએ)ની વિરુદ્ધ એક રેલીમાં વારિસ પઠાને કહ્યું હતું કે એ સમય આવી ગયો છે કે આપણે એક જુથ થઈ જઈએ અને આઝાદી માંગીએ. યાદ રાખીએ કે અમે 15 કરોડ જ છીએ 100 કરોડ લોકો પર ભારે પડી શકે છે. તેમના આ નિવેદનની સૌથી વધારે સમીક્ષા કરવામાં આવી હતી.
વારિસ પઠાનના ભાષણ પર પ્રતિબંધ
વારિસ પઠાનના ઉશ્કેરણીજનક નિવેદન પર પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પગલા ભર્યા છે. નિવેદન પછી પાર્ટીને ચારેય બાજુથી શબ્દ પ્રહારથી ઘેરી લેવામાં આવી હતી. એ બાદ અસદુદ્દીન ઓવૈસીના વારિસ પઠાને મીડિયા સાથે વાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે જ્યાં સુધી પાર્ટી પરવાનગી ન આપે ત્યા સુધી વારિસ પઠાન સાર્વજનિક નિવેદન ન આપી શકે.
ઉલ્લેખનીય છે કે વારિસ પઠાન AIMIMના પ્રવક્તા છે. વારિસ પઠાન બોલ્યા હતા કે, ‘આપણે ઈટનો જવાબ પથ્થરથી આપતા સીખી ગયા છીએ. પણ આપણે એક જૂથ થઈને ચાલવું પડશે. આઝાદી દેવી પડશે. જે માંગવાથી નહીં છીનવા પડશે.
વારિસ પઠાને માંફી નથી માંગી
આ નિવેદન બાદ વારિસે માંફી માંગવાની ના પાડી દીધી છે. વારિસ પઠાનનું કહેવું છે કે મે દેશ અને દેશના કોઈ ધર્મ વિરુદ્ધ કંઈ નથી કહ્યું. હું માફી નહીં માંગુ. જ્યારે બીજી તરફ ભાજપે વારિસ પર પ્રતિબંધની માંગ કરી છે.