ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મચાવેલી ધમાલ બાદ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક બોલાવી તો સીએમ રૂપાણી સાથે ગૃહમંત્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં પોલીસ કેસ કરવો કે નહી તે અઁગે ચર્ચા કરવામાં આવી હતી. ગૃહની ઘમાલ બાદ રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડાનો કાફલો વિધાનસભા પહોંચ્યો.
ગુજરાતની ગરીમા ગણાતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મારામારી કરી હતી. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારમારી સર્જાઇ હતી. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા મામલો બિચકાયો હતો. વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદિશ પંચાલને માઈક માર્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદિશ પંચાલને માર માર્યો હતો.
તો આ તરફ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ગૃહમાં મારામારી મુદ્દે સત્તા પક્ષ પર આરોપ લગાવ્યા છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો ભાજપના ષડયંત્રનો ભોગ બન્યા છે. નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ દ્વારા છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રેટેજીથી ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. સાથે જ જગદીશ પંચાલ દ્વારા પણ ઉશ્કેરણીજનક શબ્દ બોલવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
મારામારી બાદ પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા
પ્રતાપ દુધાતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જગદીશ પંચાલ છેલ્લા કેટલાક સમયથી બેફામ બોલતા હતા. જગદીશ પંચાલ મને 8 દિવસથી ગાળો બોલતા હતા. વિધાનસભાની લોબીમાં પણ મને ગાળો બોલતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે બન્ને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધાવશે. આજે પણ મને ગાળો આપી હતી. ગાળો આપતા આવેશમાં આવી આ પગલું ભર્યું.
મારામારી પર શક્તિસિંહનું નિવેદન
ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે: શક્તિસિંહ ગોહિલ