રામનવમીના દિવસે ભગવાન રામની વિધી-વિધાન સાથે પૂજા કરવાની મોક્ષની પ્રાપ્તિ થાય છે.આ દિવસે અયોધ્યામાં રામ મેળાનુ ભવ્ય આયોજન કરવામાં આવે છે.
આજે સમગ્ર દુનિયામાં રામ નવમીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે. તમામ ભક્તો તમેના ઘરમાં નવરાત્રિ કળશી સ્થાપના કરી નવ દિવસ રામ અને દેવી મા ની વિધિ વિધાનથી પૂજા ઉપાસના અને હવન કરે છે. ભક્તો માટે એ જાણવું જરુરી છે કે રામનવમીનો શુભ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.
ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમીના દિવસે પુનવર્સુ નક્ષત્રમાં અયોધ્યાના રાજા દશરથની મોટી રાણી કૌશલ્યાના કોખે થયો હતો. આ વર્ષે તિથિ 14 એપ્રિલે છે. રામનવમીના દિવસે ગોસ્વામી તુલસીદાસ જીને રામચરિત માનસની રચના આરંભ કરી હતી.
આ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા પહોંચીને સરયૂ નદીમાં સ્નાન કરે છે. માન્યતા છે કે આ દિવસે સરયૂમાં સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભક્તોના ભગવાન રામની અસીમ ક્રૃપાની પ્રાપ્તી થાય છે. રામનવમીના દિવસે ભગવાન રામની વિધી-વિધાન સાથે પૂજા કરવાની મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રો અનુસાર લંકાપતિ રાવણના અત્યાચારોને ખત્મ કરવા માટે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો હતો, શ્રી રામ વિષ્ણું ભગવાન સાતમો અવતાર છે. જે ત્રેતાયુગમાં ધર્મસ્થાપના માટે ધરતી પર પ્રસારિત થાય છે. આ દિવસે અયોધ્યામાં રામ મેળાનુ ભવ્ય આયોજન કરવામાં આવે છે.