મેથી(શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તમે અત્યાર સુધી મેથીના દાણા કે મેથી ખાવાના ફાયદા સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો મેથીના થેપલા ખાવાથી શું ફાયદા થાય છે.
મેથીના પરાઠા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે
આ પરાઠા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે, જેથી સરળતાથી પચે છે
મેથીથી પેટની સમસ્યા દૂર થાય છે
ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના પરાઠા સૌથી વધારે પ્રચલિત હોય છે.
ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના પરાઠા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે.
સરળતાથી પચે છે
મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ પરાઠા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીના પાનને પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે મેથીના પરાઠા પેટ માટે ખૂબ જ સારા હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે.
જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ વધારે વધેલુ છે, તો ડૉક્ટર તમને તેલ ઘી ખાવા માટે ના પાડી દે છે. એટલા માટે એવી સ્થિતિમાં તમારે પરાઠાને તેલમાં શેક્યા વગર જ ખાવા જોઇએ