વરિયાળીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને થાય છે ફાયદો, વરિયાળી સુગર કંટ્રોલ કરવામાં નીવડે છે મદદરુપ
ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી ફાયદાકારક
વરીયાળીનું સેવન કરવાથી સુગર રહે છે કંટ્રોલમાં
વરિયાળીમાં રહેલુ એન્ટિ ઓક્સિડન્ટ ઇન્સ્યુલિન વધારે છે
જો તમે ડાયાબિટીસથી પીડાતા હોવ તો એક ઘરગથ્થુ ઉપચાર તમને ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરુપ નીવડશે. આમ તો આપણી રસોઇમાં જેટલા પણ મરી મસાલા છે તે કોઇને કોઇ રીતે શરીર માટે લાભદાયી હોય જ છે. ત્યારે વાત કરીએ વરિયાળીની. વરિયાણી આપણે મુખવાસમાં ખાતા હોઇએ છીએ. સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવામાં પણ વરિયાળી વપરાય છે ત્યારે એક સંશોધનમાં સામે આવ્યુ છે કે વરિયાળીના યોગ્ય સેવનથી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી કેવી રીતે ફાયદાકારક ?
વરિયાળી માઉથ ફ્રેશનરનું કામ કરે છે. તેની સાથે તેમાં ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન જેવા તત્વો વધુ માત્રામાં મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આ સિવાય વરિયાળીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જેને ફાયટોકેમિકલ્સ કહેવામાં આવે છે. ફાયટોકેમિકલ્સ શરીરમાં ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે, જે તમારી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે. આ સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.
આ રીતે વરિયાળીનું સેવન કરો
વરિયાળી કાચી ખાઈ શકાય
વરિયાળીનું તેલ અને વરિયાળીના બીજનો ઉપયોગ ખોરાકમાં કરો
વરિયાણીનું શરબત પણ પી શકો
વરિયાળીની ચા બનાવીને પી શકો છો
ચા બનાવવા માટે એક પેનમાં 1 કપ પાણી ગરમ કરો.
થોડી વરિયાળી અને આદુ નાખીને ધીમી આંચ પર થવા દો.
પછી ગેસ બંધ કરો અને તેને એક કપમાં ગાળી લો.
જો તમે ઈચ્છો તો તેમાં થોડું મધ ઉમેરી શકો છો.
કેમ થાય છે ડાયાબિટીસ
ખરાબ જીવનશૈલી, તણાવ, અનિયમિત આહારના કારણે મોટાભાગના લોકો બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, દર વર્ષે લગભગ 10 લાખ લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. IMCના સર્વે મુજબ દર ચોથો વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર છે. એટલા માટે સમયસર તેનું નિયંત્રણ કરવું જરૂરી છે.
ડાયાબિટીસને ગંભીરતાથી લો
સામાન્ય રીતે, લોકો બ્લડ સુગરની સમસ્યાને ખૂબ જ સામાન્ય રોગ તરીકે ગણે છે. જેથી સમયસર સારવાર ન થવાથી સુગર કંટ્રોલમાં થતુ નથી. અને પાછળથી તમારા શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. એટલું જ નહીં, હાઈ બ્લડ શુગરને કારણે આંખોની રોશની પણ જતી રહે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે તમારે દરરોજ યોગ કરવા જરૂરી છે. આ સિવાય ડાયટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. આ સાથે તમે ઈચ્છો તો વરિયાળીનું સેવન પણ કરી શકો છો.