રાજ્યમાં આત્મહત્યાની 3 ઘટનાઓ સામે આવતા હાહાકાર. સુરત, નવસારી અને જેતપુરમાં આત્મહત્યાની ઘટનાઓ. કોરોનાના કારણે મિત્રો સાથે ફરવા જવાની પિતાએ ના પાડતા પુત્રીની આત્મહત્યા.
રાજ્યમાં આત્મહત્યાની ત્રણ ઘટના
નવસારીમાં પિતા-પુત્રીની આત્મહત્યા
સુરતમાં 14 વર્ષીય કિશોરીની આત્મહત્યા
રાજ્યમાં આત્મહત્યાની 3 ઘટનાઓ સામે આવતા હાહાકાર મચી ગયો છે. જેમાં સુરતમાં 14 વર્ષની કિશોરીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે.કોરોનાને કારણે પિતાએ ઉતરાયણમાં મિત્રો સાથે ફરવા જવાની ના પાડતાં કિશોરીએ આ પગલું ભર્યું હતું. તો નવસારીના ગણદેવી માર્ગ પર આવેલ સોનવાડી પાસેની નદીમાંથી પિતા- પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. સોનવાડી નજીક અંબિકા નદીમાં પિતાએ તેની પાંચ વર્ષીય પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યુ હતુ. જેથી બન્નેના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તો જેતપુરના નવાગઢ વિસ્તારમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જો કે આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
નવસારીના ગણદેવી નજીક પિતાએ પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યું
નવસારીના ગણદેવી માર્ગ પર આવેલ સોનવાડી પાસેની નદીમાંથી પિતા- પુત્રીની લાશ મળી આવી છે.સોનવાડી નજીક અંબિકા નદીમાં પિતાએ તેની પાંચ વર્ષીય પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યુ હતુ... જેથી બન્નેના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. નવાગામના રહેવાશી કેયુર પટેલે ઘર કંકાસને કારણે તેની 5 વર્ષીય દીકરી વિહાના સાથે નદીમાં કુદી આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મૃતક કેયુરનુ બાઈક તથા ચપ્પલ નદીના કિનારે મળી આવ્યા હતા. નદીમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળી આવતાં, પોલીસને ઘટનાથી અવગત કરવામાં આવી હતી. જેથી ગણદેવી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે...
મિત્રો સાથે ફરવા જવાની પિતાએ ના પાડતા કર્યો આપઘાત
સુરતમાં 14 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.કોરોનાને કારણે પિતાએ ઉતરાયણમાં મિત્રો સાથે ફરવા જવાની ના પાડતાં કિશોરીએ આ પગલું ભર્યું હતું.પિતાએ ઠપકો આપતા કિશોરીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો..આ બાબતે પોલીસે આત્મહત્યાનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે,
જેતપુરમાં વિદ્યાર્થીના આપઘાતથી ચકચાર
રાજકોટના જેતપુરમાં વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં વિદ્યાર્થીના આત્મહત્યાનો મામલો સામે આવતા વિવિધ ચર્ચાએ જોર પકડ્યુ છે. દારૂલ ઉલુમનાવિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાથી મામલાની જાણ પોલીસ મથકે કરવામાં આવી હતી. આથી પોલીસે વિધાર્થીના આપઘાતના કેસની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પામનાર વિદ્યાર્થી લાંબા સમયથી દારૂલ ઉલુમમાં રહેતો હતો.