ગણતંત્ર દિવસ પર થયેલ ઉપદ્રવ બાદ અત્યાર સુધીમાં ત્રણ સંગઠનોએ આંદોલનથી છેડો ફાડ્યો છે જે બાદ આંદોલનના ભવિષ્ય પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગઇકાલે જ્યાં બે સંગઠનો આંદોલનથી અલગ થયા હતા ત્યારે આજે વધુ એક સંગઠન ભારતીય કિસાન યુનિયન લોકશક્તિએ આંદોલન સમાપ્ત કરી નાખ્યું છે.
પોલીસ કમિશનરની હાઇલેવલ બેઠક
દિલ્હીમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસ કમિશનર એસ એસ શ્રીવાસ્તવની આગેવાનીમાં હાઇલેવલ બેઠક કરવામાં આવી રહી છે અને આ બેઠકમાં ઇનટેલેજન્સ વિભાગના અધિકારીઑ પણ પહોંચ્યા છે.
પત્રમાં મળ્યા સંકેત
નોંધનીય છે કે દિલ્હીના પોલીસ કમિશનરે પોલીસ સ્ટાફને પત્ર પણ લખ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસો આપણાં માટે ખૂબ જ પડકારજનક હશે જેથી આપણે સૌએ અલર્ટ રહેવાની જરૂર છે. આપણે ધીરજ અને શિસ્ત રાખવાની જરૂર છે.
I would like to tell you that the coming days can be very challenging for us. So, we will have to be alert. We will have to remain patient and disciplined. I thank you for your patience and restraint: Delhi Police Commissioner SN Srivastava writes to Delhi Police staff
સિંઘુ બોર્ડર જે દિલ્હી અને હરિયાણાની વચ્ચે આવે ત્યાં એક તરફથી બીજી તરફ જવાથી લોકોને રોકવા માટે જબરદસ્ત બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.
Heavy Police presence seen at Singhu border (Delhi-Haryana border) as they attempt to barricade a portion of the road in order to restrict the protesters from coming to one side of the road from the other side. The protesters are opposing the barricading being done by Police. pic.twitter.com/d3Yjx7snXk
બીજી તરફ ગાજીપુર બોર્ડરની પાસે ભારે સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે સાથે પેરામિલીટરી ફોર્સ, પીએસીની દસ જેટલી કંપનીઓને ખડકી દેવામાં આવી છે. જે સ્થળ પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યાં ગાઝિયાબાદ પોલીસના મોટા મોટા અધિકારીઓ પહોંચી રહ્યા છે. યુપીના આ વિસ્તારમાં જ રાકેશ ટીકૈત પોતાના સમર્થકોની સાથે ધરણાં પર બેઠા છે ત્યારે યુપી પોલીસે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું છે. ગાજીપુર બોર્ડર પર પોલીસે કમર કસી લીધી છે અને વીજળી પાણીની સપ્લાય કાપી દેવામાં આવી છે. બોર્ડર પર અચાનક જ મોટી સંખ્યામાં બસો અને ફોર્સને જોઈને ખેડૂતો આગળની રણનીતિને લઈને અંદરોઅંદર બેઠક કરી રહ્યા છે
Opposing the 26 Jan incident, few farmer orgs voluntarily ended their protest from Chilla Border & Dalit Prerna Sthal. As far as Baghpat is concerned, local officials told us that they explained to farmers the ongoing NHAI project & they ended protest last night: ADG(Law & Order) pic.twitter.com/eYqHL62ZbD
આ બધી ઘટનાઓની વચ્ચે ઉત્તર પ્રદેશના ADGએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે ખેડૂતોએ સ્વેચ્છાથી ચિલ્લા બોર્ડર, અને દલિત પ્રેરણા સ્થળથી આંદોલન પાછું લઈ લીધું છે. બાગપતમાં પણ લોકોને સમજાવવામાં આવ્યા જે બાદ ધરણાં સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ;યુપીગેટ પર હજુ કેટલાક લોકો બેઠા છે પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે.