Vtvની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોની સ્થિતિ અંગે કહ્યું કે, ગુજરાતના ખેડૂતો ખૂશ છે. વાવણીથી લણવા સુધી સિક્યોર વ્યવસ્થા મારી સરકારે આપી છે.
VTV ચક્રવ્યૂહ કાર્યક્રમમાં વિજય રૂપાણી સાથે ખાસ વાતચીત
ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન
ગુજરાતના ખેડૂતોને અનેક યોજના મારી સરકારે આપી છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે Vtvની વિશેષ વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં કૃષિ બિલના લાગુ કરવા મુદ્દે પણ જવાબ આપ્યો હતો. જેમાં કહ્યું કે, કેન્દ્રના તમામ કાયદાઓ રાજ્યમાં લાગુ પડશે. સાથે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવતા કાયદાનું પણ સમર્થન કર્યું હતું.
તો ખેડૂતોની સ્થિતિ અંગે કહ્યું કે, ગુજરાતના ખેડૂતો ખૂશ છે. ગુજરાતના ખેડૂતોને વાવણીથી લણવા સુધી સિક્યોર વ્યવસ્થા જોઈએ છે. જે મારી સરકારે આપી છે. કોંગ્રેસની સરકારમાં કૃષિ ધિરાણ પર 15 ટકા જેટલું વ્યાજ લેવામાં આવતું હતું. જેને મારી સરકારે 0 કરી દીધું છે. ખેડૂતોને પાણી અને વીજળીની જરૂર છે. અમે સૌની યોજના, સુજલામ-સુફલામ યોજના અને નર્મદાના માધ્યમથી અમે પાણી પહોંચાડ્યું છે. વીજળી માટે કિસાન સૂર્યોદય યોજનાના માધ્યમથી ખેતરમાં સવારે લાઈટ પ્રાપ્ત થશે. આ મામલે ખેડૂતો ખૂશ છે.