ખેડૂત આંદોલન પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ખેડૂતોને કૃષિ કાયદાની સામે વિરોધનો અધિકાર છે પણ તેઓ અનિશ્ચિતકાળ સુધી રસ્તાઓ બ્લોક ન કરી શકે.
ફટકાર લાગતા જ ખેડૂતો ગાઝીપુર બોર્ડરે કરવા લાગ્યા આ કામ,
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર વ્યક્ત કરી નારાજગી
સુપ્રીમે કહ્યું, ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર
પણ રસ્તો ન રોકી શકે
નોઈડાની મહિલાની અરજી પર સુપ્રીમની સુનાવણી
જસ્ટીસ એસ.એસ.કૌલ અને જસ્ટીસ એમ.એમ.સુંદરેશની ખંડપીઠે જણાવ્યું કે કાયદાકીય રીત ખેડૂત આંદોલનનો મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે, કોર્ટ ખેડૂતોના પ્રદર્શનની વિરૃદ્ધમાં પણ નથી પરંતુ છેવટે તો કોઈ ઉકેલ શોધવો પડશે.
સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો હક
સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો હક છે પરંતુ તેઓ અનિશ્ચિત કાળ સુધી રસ્તાઓ બ્લોક ન કરી શકે. કોર્ટે ખેડૂતોને કહ્યું કે તમે તમારી મરજી પ્રમાણે પ્રદર્શન કરી શકો પરંતુ રસ્તાઓને આ રીતે બ્લોક ન કરી શકો. લોકોને રસ્તા પર જવાનો અધિકાર છે તેઓ તેને રોકી ન શકે.
નોઈડાની રહેવાશીએ રસ્તાઓ ખુલ્લા કરવા સુપ્રીમમાં અપીલ કરી
નોઈડાની રહેવાશી મોનિકા અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રસ્તાઓ ખુલ્લા કરાવવાની અપીલ કરી હતી. મોનિકા અગ્રવાલની આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ખેડૂતોને આવો આદેશ આપ્યો હતો.