સંયુક્ત કિસાન મોરચાની પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવશે. રાકેશ ટિકૈત 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે.
કઈ તારીખે આવશે ગુજરાત
રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે જેમાં ટિકૈત 4 એપ્રિલના અંબાજી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. રાકેશ ટિકૈત પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજશે.
5 એપ્રિલે મા ઉમિયાના શરણે
ટિકૈત ઊંઝામાં ઉમિયા માતા મંદિરે પણ શિશ ઝુકાવશે અને 5 એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. રાકેશ ટિકૈત 5 એપ્રિલના કરમસદ સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે અને બારડોલીમાં કિસાન સંમેલન પણ સંબોધશે