ખેડૂત કાયદાને લઇને પંજાબના ખેડૂતો રાજધાની દિલ્હીના આંગણે પહોંચ્યા છે અને સરકારને આ કાયદો પાછો ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે. જો આ કાયદો હટાવવાની સાથે જ કેટલીક અન્ય માગો પણ ખેડૂતો કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર આજે ખેડૂતોના નેતા સાથે વાતચીત કરી રહી છે. કેન્દ્ર સરકારના કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, પહેલા વિકલ્પ સાંભળીને પછી નિર્ણય કરીશું. તો આંદોલનને લઇને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું. બેઠક દરમિયાન ખેડૂત નેતાઓને સરકારે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.આ સાથે જ એક સમિતિ બનાવવાની વાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી જેને ખેડૂતોએ ફગાવી હતી.
કેટલા રાજ્યોના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે?
શું કહે છે કૃષિમંત્રી
ખેડૂતોનું આંદોલન કરવા પાછળનું કારણ શું છે?
3 કલાકની બેઠક બાદ કોઇ નિર્ણય નહીં, આંદોલન યથાવત રહેશે
Our movement against Farm Laws will continue & we'll definitely take back something from the Govt, be it bullets or a peaceful solution. We'll come back for more discussions with them: Chanda Singh, Member of Farmers' Delegation who met Union Agriculture Minister in Delhi today pic.twitter.com/YgenF7koXN
આશરે 3 કલાકની ખેડૂતો અને સરકારના પ્રતિનિધીઓની મીટિંગ બાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહોતો અને ખેડૂતના નેતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આંદોલન ચાલુ રહેશે અને આગામી ગુરુવારના રોજ સરકાર સાથે ફરી એકવાર બેઠક યોજાશે. તો કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે તો ખેડૂત ભાઇઓને આંદોલન સમેટી લેવા માટે અપીલ કરી રહ્યા છીએ. અમે તમામ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છીએ.
We appeal to the farmers to suspend the protests and come for the talks. However, this decision depends on farmers' unions and farmers: Union Agriculture Minister Narendra Singh Tomar https://t.co/gfIKF52ze4
આક્રમક બની રહેલા ખેડૂતોના આંદોલનને ધ્યાને લઇને દિલ્હી-નોએડા લિંક રોડ પર આવેલ ચિલ્લા બોર્ડર કરાઇ સીલ
Delhi: Chilla border (Delhi-Noida Link Road) closed in wake of protesting farmers blocking Delhi to U.P Link Road.
Delhi Traffic Police has issued an advisory requesting commuters travelling to Noida to take a U-turn from Ghazipur/Akshardham flyover & take Sarai Kale Khan route pic.twitter.com/oNRmlcbI1M
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું હતું કે તમે એવો કાયદો લાવ્યો છે કે અમારી જમીનો મોટા કોર્પોરેટ લઇ લેશે, તેમાં કોર્પોરેટને ન લાવો. હવે સમિતિ રચવાનો સમય નથી. તમે કહો છો કે તમે ખેડૂતોનું ભલું કરવા માંગો છો, અમે કહી રહ્યા છીએ કે તમે અમારું ભલું ન કરો. પરંતુ આ કાયદો હટાવી દો
સમિતિ બનાવાની સરકારે કરી વાત
સરકારે ખેડુતોના નેતાઓને નવા કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા અને તમારી સમિતિના 4-5 લોકોના નામ જણાવવા અને એક સમિતિની રચના કરવા કહ્યું જેમાં સરકાર અને કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિઓ પણ હશે. જોકે ખેડૂતોએ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો અને કૃષિ કાયદો પરત લેવા પર ભાર આપ્યો હતો.
સરકાર ચોક્કસ સમાધાન લાવશે
સરકારે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આંદોલન કરતા ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલ મુદ્દે વિચાર વિમર્શ કરશે અને કોઇ ચોક્કસ ઉકેલ લાવશે
મમતા બેનર્જીએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂત આંદોલન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદો ગેરબંધારણીય છે. સરકાર ખેડૂતોને કેમ સતાવી રહી છે? ભાજપ દેશ તરફ નજર નથી કરી રહ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે આ ખરડાને ટેકો આપ્યો નથી.
થોડું મોડું થયું : CM અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ખેડૂત સંઘોને વાટાઘાટો માટે આમંત્રણ આપવું એ યોગ્ય દિશામાં એક પગલું છે, પરંતુ તે મોડું થયું છે. ચિંતા માત્ર દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ વધી રહી છે.
ખેડૂત આંદોલનમાં ભાગ લેવા પહોંચેલા દાદી બિલકીસ બાનોએ જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત પુત્રી છું અને ખેડૂત આંદોલનમાં જોડાઇશ અને સરકારે અમારી વાત સ્વીકારવી પડશે
યૂપી, દિલ્હી સહિત 4 રાજ્યોના ખેડૂતો સાથે સરકાર કરશે વાતચીત
નરેશ ટિકૈતે કહ્યું કે, સરકાર સાંજે સાત વાગ્યે યુપી, દિલ્હી, ઉત્તરાખંડ અને હરિયાણાના ખેડૂતો સાથે વાત કરશે. સરકાર હાલમાં પંજાબના ખેડૂત નેતાઓ સાથે વાત કરી રહી છે. નરેશ ટિકૈતે કહ્યું કે અમે મુદ્દાઓ પર અંતિમ નિર્ણય ઇચ્છીએ છીએ.
વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતા અને સરકાર વચ્ચે બેઠક
Delhi: Union Ministers Narendra Singh Tomar and Piyush Goyal hold meeting with farmers' leaders at Vigyan Bhawan.#FarmLawspic.twitter.com/zL4PNsQHtZ
રાજસ્થાનના ખેડૂતોએ પણ દિલ્હી માર્ચ કરવાની ઉચ્ચારી ચીમકી
નવા કૃષિ બિલ અંગે રાજસ્થાનના ખેડૂતો પણ કેન્દ્ર સરકારથી નારાજ છે. તેઓ કહે છે કે નવા ખેડુત વિધેયકના અમલ થયા બાદ મંડીઓ ખતમ થઈ જશે અને ઉદ્યોગપતિઓ સસ્તા ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે અને તેનો સંગ્રહ કરશે. તેમનો રોષ એ છે કે સરકારે સ્ટોરેજ મર્યાદા નાબૂદ કરી દીધી છે. જયપુરના નિમેરા ગામના ઓમકાર લાંબા કહે છે કે આ બિલ કાળો કાયદો છે અને ખેડૂતોની ખેતીને સમાપ્ત કરશે. રામસ્વરૂપ લાંબા જણાવી રહ્યા છે કે ટેકાના ભાવે તે મેળવવા માટે કાયદો ઘડ્યા પછી જ સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરી શકશે. ખેડુતો દ્વારા બાજરી, મગ અને મગફળી જેવા પાકને તેમના ભાવે વેચવામાં આવ્યા છે, જ્યારે તેઓ ટેકાના ભાવે ખરીદેલા નથી. ખેડુતોએ કહ્યું કે, જો સરકાર અને પંજાબના ખેડૂતો વચ્ચે સમજૂતી નહીં થાય તો રાજસ્થાનના ખેડુતો પણ દિલ્હી જશે.
ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક શરૂ
ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક શરૂ થઈ છે. વિજ્ઞાન ભવનમાં રાજનાથ સિંહની આગેવાની હેઠળની સરકાર બેઠક કરી રહી છે, અમિત શાહ, નરેન્દ્રસિંહ તોમર પણ આ બેઠકમાં સામેલ છે. આ બેઠકમાં કુલ 35 ખેડૂત સંગઠન નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
શાહીન બાગની દાદી બિલકિસ બાનો ખેડુતોના આંદોલનમાં જોડાવા માટે સિંધુ બોર્ડર પહોંચી ગયા હતા
રાજનાથસિંહની આગેવાનીમાં મળશે બેઠક
સરકાર સાથેની બેઠકમાં પંજાબ 32 કિસાન સંગઠનના નેતા હાજર રહેશે અને સંયુક્ત કિસાન મોરચાના 3 સંગઠનના નેતાઓ પણ હાજર રહેશે. ખેડૂતો સાથેની બેઠક પહેલા જે.પી.નડ્ડાના નિવાસે બેઠક થશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ પણ બેઠકમાં હાજર રહેશે. કેન્દ્રીય કૃષિ કાયદાઓ પર ખેડૂતો તરફથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલનકારી ખેડૂતોને 1 ડિસેમ્બરે એટલે કે આજે બપોરે ૩ વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. આ ચર્ચામાં કેન્દ્ર સરકાર વતી રાજનાથ સિંહ ખેડૂતો સાથે વાતચીતનો મોરચો સંભાળશે.
અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો સાથે આગામી ચરણની વાતચીત ૩ ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને ઠંડીની સાથે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે, તેથી મીટિંગ વહેલા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે સ્થિતિને જોતાં પહેલા ચરણની વાતચીતમાં સામેલ ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.
આજે આ 32 સંગઠનના લોકો સરહદેથી સરકાર સાથે વાતચીત કરવા નીકળી ચુક્યા છે જેમાં 32 ગૃપના 35 લોકો સાથે સરકાર વાતચીત કરશે.
ખેડૂતોના સરકારને આ છે સવાલ
3 કાયદા ખેડૂત વિરોધી છે સરકાર તેને રદ કેમ નથી કરતી?
સરકારના કાયદા ખેડૂતો કરતા કોર્પોરેટને ફાયદાકારક કેમ લાગે છે?
અસેંસીયલ કોમોડીટી એક્ટમાં સરકારે સુધારો કેમ કર્યો?
પરાળી સળગાવનારા ખેડૂતોને સજાનો અધ્યાદેશ સરકારે કેમ કર્યો?
ટેકાના ભાવની ગેરંટી સરકારે કાયદામાં કેમ નથી આપી?
જો તમે જાહેરમાં MSP રહેશે તેવું કહો છો તો કાયદામાં કેમ ન લખ્યું?
MSP પર ખરીદીની ગેરંટીનો કાયદો પણ સરકાર કેમ નથી બનાવતી?
ખેડૂતનો માલ કંપની લઈ લે અને પેમેન્ટ ન આપે તો ખેડૂત શું કરી શકે?
દરેક કલમો વિશે અમારા તર્ક આપ્યા તો સરકાર પાસે તેનો જવાબ કેમ નથી?
ગુણવત્તાને લઈને કંપની ખેડૂત સાથેનો કરાર ગમે ત્યારે રદ્દ કરી શકે એવું કેમ?
ગ્રાહકો અને ખેડૂતોના સંજોગોનો લાભ લઈ કંપની નફાખોરી કરે તો શું?
ખેડૂતો પાસેથી સસ્તું લઈને કંપનીઓ સ્ટોક કરી શકશે તે વાત સાચી કે ખોટી?
કંપનીઓના સ્ટોક પર સરકારનો કોઈ કાબૂ નહી હોય તે વાત સાચી કે ખોટી?
જ્યારે ભાવ વધશે ત્યારે કંપનીઓ માલ વેચશે તે સ્થિતિનું નિર્માણ નહી
શું કહે છે કૃષિમંત્રી
તોમરે કહ્યું કે, જયારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે 14 ઓકટોબર અને 13 નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં એમએસપી વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યકત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.
દોઢ મહિના પહેલાં બનેલા ત્રણ કાયદા. આ ત્રણ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો 26-27 નવેમ્બરે દિલ્હી ચલોની અપીલ સાથે દેખાવ કરવાની તૈયારીમાં છે. પંજાબના ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ પ્રદર્શનમાં 1 લાખથી વધારે ખેડૂતો જોડાશે. પણ કેમ ખેડૂતો દિલ્હી જવા પર અડગ છે? તે ત્રણ કાયદા શું છે જેનો વિરોધ થઇ રહ્યો છે?
કેટલા રાજ્યોના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે?
તેમાં મુખ્ય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખેડૂતો પણ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરના નેતૃત્વમાં દિલ્હી પહોંચી રહ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશમાં આગ્રામાં જ ખેડૂતોને રોક્યા અને મેઘા પાટકરની ધરપકડ કરી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ખેડૂત આંદોલનને આખા દેશમાંથી 500 સંગઠનોનું સમર્થન છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડીનેશન કમિટી(AIKSCC)નું કહેવું છે કે, ખેડૂતોને જ્યાં પણ દિલ્હી જવાથી રોકવામાં આવશે, તેઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરશે.
ખેડૂતોનું આંદોલન કરવા પાછળનું કારણ શું છે?
મોદી સરકાર સંસદના છેલ્લા સત્રમાં ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા લાવી હતી, આ ત્રણ કાયદા છે: કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020, આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020. આ ત્રણેય સંસદમાં પસાર થઇ ગયા છે અને કાયદો પણ બની ગયા છે. ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહનું કહેવું છે કે, આ કાયદા ખેતી-ખેડૂતની કબર ખોદવા માટે બનાવ્યા છે. ત્રણ કાયદા પરત લેવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
સરકારનું શું કહેવું છે?
અત્યાર સુધી જે ખબર પડી છે તે પ્રમાણે, સરકાર ત્રણ કાયદાને પરત નહિ લે. સરકારનો દાવો છે કે આ કાયદા પાસ થવા એ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેનાથી ખેડૂતોની જિંદગી બદલાઈ જશે. વડાપ્રધાન મોદીએ આ કાયદા આઝાદી પઢી ખેડૂતોને એક નવી આઝાદી આપવા માટે બનાવ્યા છે. મોદીનું કહેવું છે કે, ખેડૂતોને MSPનો ફાયદો મળવાની વાત ખોટી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ કાયદાને મહત્ત્વપૂર્ણ, ક્રાંતિકારી અને ખેડૂતો માટે ફાયદાકારક કહ્યા હતા. જો કે, તેમની જ સરકારમાં સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અકાલી દળના સાંસદ અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે આ કાયદાના વિરોધમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં અકાલી દળ પણ NDAથી 22 વર્ષ બાદ અલગ થઈ ગયું
શું છે તે ત્રણ કાયદા?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજારની બહાર પાક વેચવાની સ્વતંત્રતા રહેશે. કાયદામાં રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. તે ઉપરાંત માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો કરવાની વાત પણ આ કાયદામાં છે.
2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
આ કાયદામાં કૃષિ કરાર (એગ્રીકલ્ચર એગ્રીમેન્ટ) પર નેશનલ ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે. તે કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારીઓ અને રિટલરોની સાથે ખેડૂતોને જોડવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણનો પુરવઠો, પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવી, લોનની સુવિધા અને પાક વીમાની સુવિધા આપવાની વાત આ કાયદામાં છે.
3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આ કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને જરૂરી વસ્તુઓની લિસ્ટમાંથી દૂર કરવાની જોગવાઈ છે. સરકારના અનુસાર, તેનાથી ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકશે કેમ કે, માર્કેટમાં હરીફાઈ વધશે.
આ 3 કાયદાઓ પર ખેડૂતોને શેનો ડર છે અને સરકારનો બચાવ શું છે?
ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020 અંગે ખેડૂતોનો ડર છે કે, MSPની સિસ્ટમ નહિ રહે. ખેડૂતો જો માર્કેટ બહાર પાક વેચશે તો માર્કેટ નહિ બચે. ઈ-નામ જેવા સરકારી પોર્ટલનું શું થશે? જેમાં સરકાર પોતાનો બચાવ કરતા જણાવે છે કે, MSP પહેલાંની જેમ જ કાયમ રહેશે. શાકમાર્કેટ યથાવત રહેશે બલકે ત્યાં પહેલાંની જેમ જ વેપાર થશે. નવી વ્યવસ્થાથી ખેડૂતોને માર્કેટ સાથે અન્ય સ્થળોએ પણ પાક વેચવાનો વિકલ્પ મળશે. માર્કેટમાં ઈ-નામ ટ્રેડિંગ યથાવત રહેશે.
ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020 પર ખેડૂતોને ભય છે કે, કોન્ટ્રોક્ટ અથવા એગ્રિમેન્ટ કરવાથી ખેડૂતોનો પક્ષ નબળો પડશે. ખેડૂતો કિંમત નક્કી નહિ કરી શકે. નાના ખેડૂતો કેવી રીતે કોન્ટ્રેક્ટ ફોર્મિંગ કરશે? વિવાદમાં મોટી કંપનીઓને ફાયદો થશે. જેમાં સરકાર પોતાનો બચાવ કરતા જણાવે છે કે, કોન્ટ્રેક્ટ કરવો કે નહિ તેની ખેડૂતોને આઝાદી મળશે. ખેડૂતો તેમની ઈચ્છા મુજબ જે-તે કિંમતમાં પાક વેચી શકશે. દેશમાં 10 હજાર FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ગ્રૂપ્સ) બની રહ્યા હતા. આ FPO નાના ખેડૂતોને સાથે રાખી પાકને માર્કેટમાં યોગ્ય કિંમતે વેચાણ કરાવશે. વિવાદની પરિસ્થિતિમાં કોર્ટ જવાની જરૂરિયાત નહિ રહે. સ્થાનિક લેવલે વિવાદનું નિરાકરણ આવશે.
આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020 પર ખેડૂતોનો ભય એવો છે કે, મોટી કંપનીઓ આવશ્યક વસ્તુઓનું સ્ટોરેજ કરશે. તેનાથી કાળાબજાર વધશે. જેમાં સરકારનું કહેવું છે કે, ખેડૂતોના પાક ખરાબ થવાની આશંકા દૂર થશે. તેઓ બટાકા અને ડુંગળી જેવા પાક કોઈ પણ ચિંતા કર્યા વગર ઉગાડી શકશે. એક લિમિટ કરતા વધારે કિંમતો વધી જવા પર સરકાર પાસે તેના પર કાબૂ મેળવવાની શક્તિ હશે. ઈન્સ્પેક્ટર રાજ નહિ રહે. ભ્રષ્ટાચાર પણ નહિ થાય.