ગુજરાતના એક ખેડૂતે ગીર ગૌ જતન સંસ્થા બનાવી ગૌ આધારીત ખેતી કરી વિશ્વના અનેક દેશોમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાથે સાથે કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.
ગૌ સંચાલિત ખેતીથી અનોખી સિદ્ધિ
એક કિલો ઘી 3400 થી 51 હજારમાં વેચાઈ છે
વિશ્વના 123 દેશોમાં પ્રાકૃતિક પ્રોડક્ટની માગ
ગોંડલથી સાત કિલોમીટર દૂર વોરા કોટડા રોડ પર આવેલી રમેશભાઈ રૂપારેલીયાની ગૌ જતન સંસ્થામાંથી રૂપિયા 3500 થી 51,000 ના ભાવે એક કિલો ઘી વેચાઈ રહ્યું છે. આજના ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે રમેશભાઈ રૂપારેલીયા નામના ગોંડલ પંથકના ખેડૂત પણ ગીર ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જ ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા ચલાવી રહ્યા છે. ગાયોના ગોબરથી લીપણ કરેલ વાસના મકાનો, કુટીર, સહિત ગામડાના કુદરતી વાતાવરણ વચ્ચે ગોંડલના રમેશભાઈ રૂપારેલીયાની ગીર ગૌ જતન સંસ્થાની ગૌશાળામાં અનેક ગીર ગાયો છે. ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અહી વૈદિક શાસ્ત્રોક અને આયુર્વેદ પધ્ધતિથી કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. તેમાં પણ આપણી ગીર ગાયનું સૌથી વધુ મહત્વ છે.
123 દેશોમાં પ્રાકૃતિક પ્રોડક્ટની માગ
આજ કારણે આજે આ ગૌશાળામાંથી ઘી, દૂધ અને ગૌ આધારિત બનતી પ્રોડ્કટનો દેશમાં નહી પરંતુ આરબ અમીરાતથી લઈને અમેરિકા સુધી વિશ્વના 123 દેશમાં ડંકો વાગ્યો છે. વિદેશમાં પણ ગીર ગાયના દૂધમાંથી બનતી પ્રોડક્ટની ભારે ડીમાન્ડ રહે છે. ત્યારે નવાઈની વાત એ છે કે આ સંસ્થાની ગૌશાળામાં ઘી, દૂધ અને છાશની સાથે ધૂપબતી,ચવનપ્રાશ, સાબુ, શેમ્પુ સહિતની ગાય આધારીત 170 જેટલી વસ્તુઓની સાથે 30 જેટલા ગાયના ઘીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે.
એક કિલો ઘી 3400 થી 51 હજારમાં વેચાઈ છે
ગીર ગૌ જતન સંસ્થામાં તૈયાર કરેલ આયુર્વેદ અને વૈદ શાસ્ત્રોક વિધિથી તૈયાર કરેલ જુદા જુદા પ્રકારના ઘી રૂપિયા 3300થી લઈને રૂપિયા 51000ના 1 કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જે 51 હજારના ઘી ની વાત કરી રહ્યા છે. તે બનાવવા માટે ગાયને 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટી ખોરાકમાં આપવામાં આવે છે. આ ઘી માટે આરબના શેખોથી લઈને અમેરિકા સુધીના લોકોની લાઈન લાગી છે. અહીં એકવાત ચોક્કસથી કહી શકાય કે, જો માણસ ધારે તો કાદવમાં પણ કમળ ઉગાડી શકે. રમેશભાઈએ પોતાની સુજબુજથી ખેતીને ગૌ આધારિત બનાવી. આજે ખેતીની સાથે-સાથે ગીર ગાયોના દૂધમાંથી બનવી પ્રોડક્ટ વેચીને તેઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.રાજ્યના અન્ય ખેડૂતો પણ આવો માર્ગ અપનાવે તે જરૂરી બન્યું છે.