અમરેલીમાં જગતના તાત ખેડૂતના આપઘાતને પગલે સોપો પડી ગયો છે. બગસરાના ખેડૂતે મોત વહાલુ કરતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. પાક નિષ્ફળ જતા ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતુ. બેંકલોનનું દેવું વધી જતા ખેડૂત ચિંતામાં મુકાયો હતો.
અમરેલીમાં ખેડુતે કર્યો આપઘાત
બગસરાના હડળા ગામે ખે઼ડુતો કર્યો આપઘાત
પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત
બેંક ઘિરાણની ચિંતામાં ખેડુતને ભર્યુ પગલું
અમરેલીમાં ખેડૂતો આપઘાત કરતા આખા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. ખેડૂતે બેંકલોન ન ભરી શકવાને કારણે આ અંતિમ પગલુ ભર્યુ હોવાનો ખુલાસો થયો છે.
અમરેલીના બગસરાના હડળા ગામે ખેડૂતે આપઘાત વહોરતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. એવામાં લોન લઈ લઈને ખેડૂતે ખેતીમાં રોકાણ કર્યુ હતુ પરંતુ ધીરેધીરે પાક નિષ્ફળતા તરફ જઈ રહ્યો હતો આખરે પાક નિષ્ફળ ગયો હતો. પરિમાણે ખેડુતે દેવું ન ચુકવી શકવાની ભીતિને કારણે મોતને વહાલુ કરી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
શું કહે છે આંકડા?
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
દરરોદ 31 ખેડૂતો આપઘાત કરે છે
ગૃહવિભાગ દ્વારા આખરે આ આંકડા જાહેર કરવામાં આવ્યો જેમાં 11,379 ખેડૂતોએ 2016માં ભારતમાં આપઘાત કર્યો છે જેનો મતલબ દર મહિને 948 ખેડૂતો આપઘાત કરે છે અને દરરોજના 31 જેટલા ખેડૂતો પોતાનું જીવન ટુંકાવ્યુ છે.
ગુજરાતનો નંબર ચોથો
દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત 5 રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો છે. રાજ્યમાં 2015 માં 301 ખેડૂતોએ જીવન ટુંકાવ્યુ હતું. તે સંખ્યા 2016માં વધીને 408 થઈ ગઈ છે. દર્શાવાઈ છે.
પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ
આપઘાત સંખ્યામાં 36 ટકાનો વધારો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે. પંજાબ રાજ્ય ખેડુતોના આપધાતની સંખ્યાના વધારામાં પ્રથમ ક્રમે છે. એક સમય સૌથી વધુ ખેડુતો આપઘાત કરનાર મહારાષ્ટ્રમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ખેડુતોના આપઘાતમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.