જાણીતા કવિ રાહત ઈન્દોરીને કોરોનાના લક્ષણો જણાતાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓ અત્યારે અરવિંદો હોસ્પિટલમાં એડમિટ છે. તેઓએ ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના માટે જ્લ્દી રિકવરીની પ્રાર્થના કરે. આ સાથે જ તેઓએ અપીલ કરી છે કે મારા ઘરે કે મને ફોન ન કરશો. મારી તબિયતની જાણકારી તમને સૌને ફેસબુક અને ટ્વિટર પર મળતી જ રહેશે.
જાણીતા કવિ રાહત ઈન્દોરી કોરોનાગ્રસ્ત
લક્ષણ દેખાયા બાદ કરાવ્યો હતો ટેસ્ટ
પોતે જ ટ્વીટ કરીને આપી જાણકારી
રાહત ઈન્દૌરીએ કહ્યું કે મને કે મારા પરિવારને કોઈ ફોન કે મેસજ કરશો નહીં. મારા સ્વાસ્થ્ય સંબંધી તમામ જાણકારી તમને સોશ્યિલ મીડિયાની મદદથી મળતી રહેશે. હોસ્પિટલ તરફથી મળતી માહિતીમાં જાણવા મળ્યું છે કે ઈન્દોરીના બંને ફેફસામાં નિમોનિયા છે. શ્વાસ લેવામાં તકલીફને ધ્યાનમાં રાખીને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય તેમને કૃત્રિમ ઓક્સીજન આપવામાં આવી રહ્યો છે.
कोविड के शरुआती लक्षण दिखाई देने पर कल मेरा कोरोना टेस्ट किया गया, जिसकी रिपोर्ट पॉज़िटिव आयी है.ऑरबिंदो हॉस्पिटल में एडमिट हूँ
दुआ कीजिये जल्द से जल्द इस बीमारी को हरा दूँ
एक और इल्तेजा है, मुझे या घर के लोगों को फ़ोन ना करें, मेरी ख़ैरियत ट्विटर और फेसबुक पर आपको मिलती रहेगी.
ઈન્દોરીના દીકરાએ કહ્યું કે કોરોનાના પ્રકોપને કારણે મારા પિતા છેલ્લા સાડા 4 મહિનાથી ઘરમાં જ છે. તેઓ ફક્ત નિયમિત ચેકઅપ માટે ઘરની બહાર નીકળતા હતા. તેઓએ કહ્યું કે તેમને છેલ્લા 5 દિવસથી બેચેની અનુભવાતી હતી. ડોક્ટરની સલાહ અનુસાર તેમના ફેફસાનો એક્સ રે કરાવ્યો તો તેમાં નિમોનિયા આવ્યો છે. આ સાથે જ તેઓ કોરોના સંક્રમિત પણ હોવાનું જાણવા મળ્યું છે.
રાહત ઈન્દોરીને પહેલાંથી છે આ તકલીફો પણ
દીકરા સતલજે કહ્યું કે રાહત ઈન્દોરીને પહેલાંથી જ ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ છે. આ સાથે જ કોરોના હોવાથી તેમના સ્વાસ્થ્યની કામના કરવાની માંગણી કરી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વિટ કર્યું છે કે પ્રસિદ્ધ શાયર રાહત ઇંદોરીના અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા છે. ઈશ્વર તેમને તરત જ સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.