બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / family of Piluda village of Banaskantha Tharad committed suicide in the canal
Last Updated: 10:33 PM, 17 April 2022
ADVERTISEMENT
ગુજરાતમાં સામુહિક આપઘાતની ઘટનાઓમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાઠાના થરાદમાં વધુ એક વખત કેનાલમાં ઝંપલાવી એક પરિવારએ સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
ADVERTISEMENT
પતિ-પત્ની સહિત 2 બાળકોનો અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું
ઉત્તર ગુજરાતમાં આવેલી નર્મદા કેનાલમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે. થરાદમાં પીલૂડાં ગામના પરિવારે એકસાથે મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. ત્યાં હાજર રાહદારીઓના જણાવ્યા અનુસાર પતિ-પત્ની સહિત 2 બાળકો એક બાઇક પર આવ્યા હતા. કેનાલ પર બાઈક ઊભું કરી અચાનક ચારેય લોકો કેનાલમાં કુંદી ગયા હતા. દૂરથી આ ઘટનાને જોઇ ગયેલા રાહદારીએ તાત્કાલિકના ધોરણે પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. પોલીસ ફાયર ટીમને જાણ કરી ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય લોકોની શોધખોળ શરૂ કરી હતી.
સ્થાનિક તરવૈયાની લેવાઈ મદદ
કેનાલમાં ચાર લાકોએ ઝંપલાવ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરતા પીલૂડાં ગામની આસપાસના સ્થાનિક લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા. નગરપાલિકાના તરવૈયાઓને ચાર લોકોને શોધવા કેનાલની અંદર ઘટના સ્થળથી થોડે દૂર જાળ બિછાવી હતી અને સતત પાણીમાં ગોતા લગાવ્યા હતા.
2 મૃતદેહ મળ્યા 2 બાકી
થરાદ ફાયર ફાઇટર અને સ્થાનિકોએ નગરપાલિકાના તરવૈયાની મદદથી કેનાલમાં પરિવારની શોધખોળ શરૂ કરી છે. જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ કેનાલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે, અને તંત્ર દ્વારા પતિ અને દીકરાના મૃતદેહની શોધખોળ કરાઇ હતી મોડી સાંજે તે બંનેના પણ મૃતદેહ મળી આવ્યા હતા. ક્યા કારણોસર આ પરિવારે કેનાલમાં છલાંગ લગાવી તેનું કારણ હજુ પણ અકબંધ છે.
આ કેનાલમાં ગઇકાલે સાંજે એક જ પરિવારના નાહવા પડેલા ત્રણ ભાઈઓ પૈકી બે ભાઈઓના કેનાલમાં ડૂબી જવાથી મોત થયા હતા જે ભારે જહેમત બાદ આજે વહેલી સવારે આ બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે ફરી એકવાર એક જ પરિવારના ચાર સભ્યોએ કેનાલમાં મોતની છલાંગ લગાવતા થરાદ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.