ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ તો ચાલું જ રહેતા હોય છે, પણ ઘણી વાર આ ઝઘડા કોર્ટ સુધી પણ પહોંચી જતાં હોય છે, એટલું જ નહીં જે પત્ની સાથે પતિએ સાત ફેરા લીધા હોય, તેના જ ચરિત્ર પર શંકા કરે તો, મામલો ગંભીર બની જાય છે.
કાનપુરમાંથી અજીબોગરીબ કિસ્સો આવ્યો
પતિએ પતિ પર શંકા કરતા કોર્ટમાં કેસ કર્યો
પત્ની અગ્નિપરીક્ષા આપવા તૈયાર થઈ
ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ તો ચાલું જ રહેતા હોય છે, પણ ઘણી વાર આ ઝઘડા કોર્ટ સુધી પણ પહોંચી જતાં હોય છે, એટલું જ નહીં જે પત્ની સાથે પતિએ સાત ફેરા લીધા હોય, તેના જ ચરિત્ર પર શંકા કરે તો, મામલો ગંભીર બની જાય છે. આવો જ એક કિસ્સો યુપીના કાનપુરમાંથી ફેમિલી કોર્ટમાં સામે આવ્યો છે. જ્યાં પતિએ પત્નીના ચરિત્ર પર શંકા કરી હતી, તો જવાબમાં પત્ની અગ્નિપરીક્ષા આપવા તૈયાર થઈ ગઈ હતી. એટલા માટે મહિલાએ કોર્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવાની માગ કરી છે. આ કેસમાં કોર્ટમાં ચાર જૂનના રોજ આગામી સુનાવણી થશે.
પત્ની પર લગાવ્યો ચરિત્રહીનનો દાવો
બર્રા નિવાસી મહિલાના લગ્ન 10 ફેબ્રુઆરી 2015ના રોજ થયા હતા. લગ્ન બાદ તેમને એક દિકરો પણ થયો હતો. થોડા સમય બાદ પતિએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અને આ બાજૂ મહિલાએ પતિ પર ભરણપોષણ માટે અલગથી કેસ ઠોકી દીધો હતો. પતિ તરફથી ભરણપોષણ અરજી રદ કરવા માટે જવાબ આપ્યો અને પત્ની પર ચરિત્રહીનતા અને દાંપત્ય અપવિત્રતાનો આરોપ લગાવ્યો હતો.
પત્ની અગ્નિપરીક્ષા આપવા તૈયાર
આ કેસમાં શનિવાર અપર ફેમિલી કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પત્ની તરફથી આપવામાં આવેલા એફિડેવિટમાં અગ્નિપરીક્ષાની વાત કહેવામાં આવી હતી. મહિલાએ પોતાના પર લાગેલા દાગ વિરુદ્ધ લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવાની અરજી આપી હતી. કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં મહિલાએ કહ્યું કે, તે ખોટુ પકડનારા મશીન સામે કહેશે અને પોતાના પતિ સિવાય અન્ય કોઈ સાથે સંબંધ નથી, તે સાબિત કરશે. વરિષ્ઠ વકીલ કૌશલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે, કોર્ટે મહિલાની અરજી પર સુનાવણી માટે ચાર જૂનની તારીખ આપી છે.