દાહોદના સંજેલીમાં એક પરિવારના 6 લોકોની હત્યાથી રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ચાર બાળકો સહિત પરિવારના છ એ છ સભ્યોને મોતને ઘાટ ઉતારી દેતા આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ છે. હત્યારા એવા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યું છે. નજીકના સમય થયેલાં સામુહિક હત્યા કેસમાં રાજ્યનો સૌથી મોટો હત્યાકાંડ છે.
એક પરિવારના 6 લોકોની હત્યા
ગાળ પર તિક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા
4 બાળકો અને દંપત્તિની હત્યા
કેવી રીતે કરાઈ હત્યા
ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ છે. ચાર બાળકો અને દંપત્તિની એમ આખા પરિવારને સફાચટ કરી દેવામાં આવ્યો છે. આદિવાસી પરિવારના 6 લોકોની થઈ હત્યાને પગલે દાહોદના સંજોલીમાં સન્નાટો છવાઈ ગયો હતો.
ક્યાની છે ઘટના
દાહોદના સંજેલીના તરકડાના મહુડી વિસ્તારમાં આ ગોઝારી ઘટના બની હતી, પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતરી પડ્યો છે અને હાલ તો એ તપાસમાં લાગી ગયો છે કે આટલી ક્રૂરતા પૂર્વક આખા પરિવારને પતાવી દેનારા હત્યારા કે હત્યારો કોણ હશે?
શું લાગે છે પ્રાથમિક તપાસમાં?
પરિવારના તમામ બાળકોને ગળા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે ત્યારે એમ થાય કે એવું તો શું હશે કે, અથવા હત્યારા એવા કેવા ઘાતકી હશે કે ચાર ચાર માસૂમ બાળકોને પણ પતાવી દીધા હશે? હત્યામાં એકથી વધુ માણસો હોવાનું મનાઈ રહ્યુ છે.