વર્તમાનમાં ફેસબુક અને ભાજપ વચ્ચે સાંઠગાંઠના આરોપો લાગી રહ્યા છે અને રાહુલ ગાંધી સહીતના નેતાઓ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે ત્યારે ફેસબુક દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમે રાજા સિંહને બેન કરી દીધા છે જોકે રાજા સિંહનું કહેવું છે તે ફેસબુક પર છે જ નહીં.
હેટ સ્પીચને લઈને થયેલા વિવાદ બાદ ફેસબુકે ભાજપ નેતાને કર્યા બૅન
નફરત ફેલાવવા મુદ્દે ભારે વિવાદ બાદ પહેલીવાર ફેસબુકની મોટી કાર્યવાહી
સંસદીય પેનલે બુધવારે જ ફેસબુકના પ્રતિનિધિને મોકલ્યું હતું સમન, બે કલાક થઇ પૂછપરછ
હેટ સ્પીચ મામલે ફેસબુક ઘણા સમયથી દબાણમાં છે અને આ દરમિયાન ગુરુવારે ભાજપ નેતાને બેન કરી દેવામાં આવ્યા. ફેસબુકે કહ્યું તેના દ્વારા ભાજપ નેતા ટી રાજા સિંહને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામથી હિંસા અને નફરતને વધારો આપવાના લીધે પ્રતિબંધ લગાવવામાં આવે છે.
ફેસબુકના પ્રવક્તાએ ઈમેલમાં આપેલા નિવેદનમાં કહ્યું કે અમે રાજા સિંહને પોતાની નીતિના ઉલ્લંઘન માટે ફેસબુક પર પ્રતિબંધ કરવામાં આવે છે. ફેસબુક અનુસાર તે ફેસબુક પર સ્ટોરી અથવા પોસ્ટમાં હિંસાને પ્રોત્સાહન આપવા બદલ બેન કરવામાં આવે છે જેનાથી નફરત પર રોક લાગી શકે.
જોકે રાજા સિંહ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે હું એપ્રિલ 2019થી ફેસબુક પર છું જ નહીં. એવામાં કોઈ મારું પેજ બેન ના કરી શકે. મેં 2018માં જ હૈદરાબાદ સાઈબર ક્રાઈમને પત્ર લખ્યો હતો કે મારા ફેસબુક પેજને હેક કરવામાં આવ્યું છે. તે બાદ મેં નવું પેજ શરુ કર્યું જે એપ્રિલ 2019માં જ બંધ થઇ ગયું.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું ફેસબુક પર છું જ નહીં તો બેન થવાનો કોઈ સવાલ જ નથી. શું ફેસબુક અત્યારે કોંગ્રેસના દબાણમાં આવીને કામ કરી રહ્યું છે ?
My official Facebook page has been unpublished / removed couple of days back @facebook may I know the reason.
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે ફેસબુક ભારતમાં ભાજપ નેતાઓની હેટ સ્પીચમાં નરમ વલણ રાખે છે. જે બાદ રાહુલ ગાંધી સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસે તો માર્ક ઝુકરબર્ગને પણ પત્રો લખ્યા છે. એવામાં અત્યારે આ કાર્યવાહીનો દાવો ફેસબુક દ્વારા કરવામાં આવી રહ્યો છે.