પેગાસસ ફોન હેકિંગ મામલામાં વિપક્ષ આક્રમક થયું છે. તે સરકારને આ મુદ્દા પર ઘેરવા એકજૂથ થયું છે. સંસદમાં મોનસૂન સત્રના એક દિવસ પહેલા જ આના પડઘા પડ્યા છે. જેને લઈને કોંગ્રેસે આને લઈને જેપીસી(સંયુક્ત સંસદીય સમિતિ)ની માંગ કરી છે. ત્યારે આ મુદ્દા પર સરકારનું વલણ કંઈક અલગ છે. તેમણે આ રિપોર્ટને સરકારની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ગૃહ મંત્રી અને આઈટી મંત્રીએ આ રિપોર્ટમાં આવનારા ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા છે. આખરે પેગાસસ ફોન હેકિંગ વિવાદ છે શું અને તેને લઈને સરકારનો શું પક્ષ છે તો વિપક્ષે સરકારને કેમ ઘેરી છે. જાણો સમગ્ર બાબતોના જવાબ...
શું છે પેગાસસ ફોન હેકિંગ વિવાદ?
સંસદમાં મોનસૂનના એક દિવસ પહેલા રવિવારે એક સનસનીખેસ રિપોર્ટ સામે આવી. આ રિપોર્ટ દુનિયાભરના 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિયમે જારી કરી છે. જેનાથી દેશનું રાજકારણ ગરમાયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલના પેગાસસ સ્પાઈવેયરની મદદથી ભારતના અનેક નેતાઓ, પત્રકારો અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકોના ફોન હેક કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં 150 થી વધારે ફોન હેક થયાની વાત કરવામાં આવી છે. ત્યારે ભારતમાં ઓછામાં ઓછા 38 લોકો પર નજર રાખી હોવાની વાત છે. જો કે ભારત સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે. સાથે કહ્યું કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. આ પ્રાઈવસી મૌલિક અધિકાર છે.
કેમ શંકાના દાયરામાં છે સરકાર?
પેગાસસ એક મેલવેયર છે. આ ઈઝરાયલી ફોર્મ NSO ગ્રુપ બનાવે છે. આતંકવાદીઓને ટ્રેક કરવા માટે આને બનાવવામાં આવે છે. તે કોઈ ખાનગી કંપનીઓને સોફ્ટવેર નહીં વેચતી. આની સપ્લાય ફક્ત સરકારોને જ થાય છે. આજ કારણે સરકાર આ મામલામાં સીધા સંડોલાયેલા હોવાનો વિપક્ષે દાવો કર્યો છે. આ સ્પાઈવેર એન્ડ્રોયડ અને આઈફોનને હેક કરી લે છે. આની મદદથી હેકર્સને સ્માર્ટફોનનું સંપૂર્ણ એક્સેસ મળે છે.
શું કહે છે કંપની?
ઈઝરાયલી કંપની NSO ગ્રુપે પોતાની પેગાસસ સોફ્ટવેરને લઈને થયાલા ખુલાસા પર નિવેદન જારી કર્યુ છે. કંપનીનું કહેવું છે કે ફોરબિડેન સ્ટોરીજની રિપોર્ટ ખોટી ધારણાઓ અને અપુષ્ટ સિદ્ધાંતોથી ભરેલી છે. આ નિવેદનમાં ઈઝરાયલની આ સાઈબર ઈન્ટેલિજેન્સી કંપનીએ કહ્યું કે રિપોર્ટમાં કોઈ તથ્યાત્મક આધાર નથી અને આ સત્યથી વેગળી છે. કંપની મૂજબ એવું લાગે છે કે કોઈ અજ્ઞાત સૂત્રોએ ખોટી જાણકારી પુરી પાડી છે. તેમણે કાયદાકિય પગલા ભરવાની પણ વાત કરી છે.
ગૃહમંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નિવેદનમાં કહ્યું છે કે જાસૂસી અંગેના રિપોર્ટને કેટલાક લોકોએ આગળ ધપાવી છે. આનો એક માત્ર હેતુ વિશ્વસ્તર પર ભારતને અપમાનિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાનો છે. શાહે કહ્યું કે આવા વિધટનકારિઓના અવરોધકો માટે આ રિપોર્ટ છે. તમામ વિઘટનકારી વૈશ્વિક સંગઠન છે જે ભારતની પ્રગતિને પસંદ નથી કરી શકતા. તેમણે કહ્યું કે અવરોધક ભારતમાં રાજનીતિક ખેલાડી છે જે નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે. ભારતના લોકો આ ક્રોનોલોજી અને સંબંધને સારી રીતે સમજે છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં સંસદમાં હોબાળો થયો અને કોંગ્રેસે શાહના રાજીનામાની માંગ કરી છે.
કઈ કઈ મીડિયા સંસ્થાન સામેલ છે?
પેરિસ સ્થિત બિન લાભકારી મીડિયા સંગઠન ફોરબિડન સ્ટોરીજ અને અધિકાર ગ્રુપ એમનેસ્ટી તરફથી કરવામાં આવેલા ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટને ભારતમાં ધ વાયર, ન્યઝ પોર્ટલ અને વોશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્જિયન અને લે મોન્ડે સહિત 17 અન્ય આંતરરાષ્ટ્રીય પ્રકાશનોના મીડિયા પાર્ટનર્સના રુપમાં પ્રકાશિત ક્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલી કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેયરના માધ્યમથી દુનિયાભરથી 50 હજારથી વધારે ફોન નંબરને નિશાનો બનાવવા માટે યાદી બદ્ધ કરી હતી.