ગુજરાત સરકારની નીતિઓને કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ભારે ગંભીર અસર પડી રહી છે. ત્યારે હવે ટ્રાવેલ્સ ઉદ્યોગના માંધાતાએ ધંધામાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે.
પરિવહન ક્ષેત્રે મુશ્કેલીનો દૌર
પટેલ ટ્રાવેલ્સનો એક્ઝિટનો નિર્ણય
35 વર્ષ જૂનો ધંધો સંકેલશે પટેલ ટ્રાવેલ્સ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે ભારતમાંથી ધંધો સંકેલી લેવાનો નિર્ણય લીધો છે. દંડ ભરવા માટે જે તે રાજ્યમાં વાહન સાથે રૂબરૂ જવા જેવા નિયમોથી તો ઘણા સમયથી ટ્રાવેલ્સ ઉદ્યોગ ત્રસ્ત છે, ત્યારે હવે બાબતોથી કંટાળીને ગુજરાતની જાણીતી પટેલ ટ્રાવેલ્સે ઉદ્યોગ જગતને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે.
સરકારને વારંવાર રજૂઆત છતાં ન આવ્યો ચોક્કસ ઉકેલ
પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલે VTV NEWS સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નીતિને લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારોને રજૂઆત વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ચોક્કસ ઉકેલ હજી સુધી નહીં આવતા અંતે કંટાળીને ધંધો સંકેલી લેવાનો નિર્ણય લીધો છે
50 બસ અત્યાર સુધીમે વેંચી દીધી
આ સાથે જ મેઘજી પટેલે ધંધાની વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, પટેલ ટ્રાવેલ્સે અત્યાર સુધીમાં આશરે 50 જેટલી લક્ઝરી બસ વેચી દીધી છે અને આગામી 250 જેટલી બસ આગામી 2022 સુધીમાં વેચીને ટ્રાવેલ્સ પરિવહનના બિઝનેસમાંથી એક્ઝિટ કરી લેશે.
35 વર્ષથી ચાલતા ધંધાનો આવશે અંત
આપને જણાવી દઇએ કે, પટેલ ટ્રાવેલ્સ પરિવહનમાં ગુજરાત અને દેશમાં મોટું નામ ધરાવે છે અને છેલ્લા 35 વર્ષથી ટ્રાવેલ્સમાં કાર્યરત કંપની છે. જો કે,સરકારી નીતિઓને કારણે અંતે કંટાળીને પરિવહન ઉદ્યોગને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે.