કમલનાથને મધ્યપ્રદેશમાં ચૂંટણીના પરિણામો બાદ સત્તા પલટવાથી અધવચ્ચેથી પોતાનું CMપદ છોડી દેવું પડ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે થોડા સમયમાં યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસને 20 થી 22 સીટો મળશે. કમલનાથે એવો પણ દાવો કર્યો હતો કે પેટાચૂંટણી પછી રાજ્યમાં ભાજપની સરકાર નહીં રહે.
મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ CM કમલનાથે રવિવારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે દાવો કર્યો છે કે થોડા સમયમાં યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસને 20 થી 22 સીટો મળશે. કમલનાથે એવો પણ દાવો કર્યો હતો કે પેટાચૂંટણી પછી રાજ્યમાં ભાજપની સરકાર નહીં રહે.
પૂર્વ મુખ્યમંત્રીએ રવિવારે ભાજપના તમામ આક્ષેપોનો પણ જવાબ આપ્યો હતો, જે આક્ષેપો દ્વારા ભાજપે કમલનાથની સરકાર સત્તા પર હતી ત્યારે તેમને ઘેર્યા હતા. કમલનાથે કહ્યું, "અમારી સરકારે કોવિડ 19 સામે લડત માટે ઘણા મજબૂત પગલાં લીધાં હતાં અને જો સરકાર નહીં ઉથલાઈ જાત તો અમે કોરોનાના નિયંત્રણમાં અન્ય રાજ્યો કરતા આગળ હોત."
ભાજપ સરકારના કોરોના પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો પર કર્યા જોરદાર પ્રહાર
તેમણે કહ્યું કે તેમની સરકારે કોરોના વાયરસ (કોવિડ 19) ને કારણે આઈફા એવોર્ડ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો તેમ જ રાજ્યમાં ટેસ્ટિંગ ફેસિલિટીમાં વધારો કરવા માટે ટેસ્ટ લેબની ઓળખ કરાઈ હતી. તેમના મુખ્યમંત્રી પદ સમયે મુખ્ય સચિવ અને કલેક્ટર્સને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.
કમલનાથે ભાજપ સરકારના કોરોના પર નિયંત્રણ લાવવાના પ્રયત્નો પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તે પૂરતું નથી. તેમણે તેમની સરકારના સમયમાં લીધેલા ખેડુતોની લોન માફીના નિર્ણયને ચાલુ રાખવાની અને 1 જૂન થી છ લાખ ખેડૂતોની લોન માફ કરવાની માંગ કરી હતી. કમલનાથે નિમાડ અને માલવામાં શાકભાજી ઉગાડતા ખેડુતોના સંકટ પર તેમની મદદની જરૂર જણાવી હતી.
24 વિધાનસભા બેઠકો ઉપર થઇ રહી છે પેટા ચૂંટણી
કમલનાથે રાજ્યની ભાજપ સરકાર પાસે કર્મચારીઓને 17 ટકા DA આપવાના નિર્ણયને તાત્કાલિક અમલ કરવા માંગ કરી છે. તેમણે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ કમિટી ચીફ અને વિપક્ષના નેતા કોણ હશે તે પાર્ટીના હાઈ કમાન્ડ નક્કી કરશે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી 2019 માં પાર્ટીની હાર બાદ તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટી ચીફના પદ પરથી રાજીનામું આપ્યું હતું. નવા પ્રદેશ કોંગ્રેસ કમિટી ચીફનો નિર્ણય અને વિપક્ષના નેતાના નામની જાહેરાત પાર્ટી જ કરશે.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હાલમાં કોંગ્રેસનો પડકાર 24 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓનો છે. પૂર્વ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો એ મુદ્દે તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ નેતાઓની માનસિકતા સમજવામાં થાપ ખાઈ ગયા હતા.