40 જિલ્લા કલેક્ટર્સ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ 100 ટકા વેક્સિનેશન માટે દેશભરમાં 'હર ઘર દસ્તક અભિયાન શરુ કરવાની મોટી જાહેરાત કરી છે.
40 જિલ્લા કલેક્ટર્સ સાથે પીએમ મોદીની બેઠક
PM મોદીએ લોન્ચ કરી મોટી યોજના
'હર ઘર દસ્તક અભિયાન શરુ થશે
બધા લોકોને ઘેર બેઠા ફ્રી વેક્સિન મળી જશે
100 ટકા વેક્સિનેશન માટે મોટું એલાન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે હવે બધાને ઘેર બેઠા વેક્સિન મળી રહે તે માટે 'હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે એવા દરેક ઘરમાં દસ્તક દેવામાં આવશે કે જ્યાં અત્યાર સુધી કોરોના વેક્સિનના બન્ને ડોઝ લાગ્યા નથી. ઘર ઘર વેક્સિન આ જુસ્સા સાથે આપણે બધાના ઘેર વેક્સિન પહોંચાડવાની છે.
प्रधानमंत्री @NarendraModi जी ने हर देशवासी की कोरोना से सुरक्षा के लिए प्रभावी कदम उठाए हैं। पूरी दुनिया ने भारत के 100 करोड़ टीकाकरण की ऐतिहासिक उपलब्धि को सराहा। जन-जन को सुरक्षा देने को संकल्पित मोदी सरकार ने आज #HarGharDastak अभियान की शुरुआत की, जिसे हम हर घर तक पहुंचाएंगे।
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને હર ઘર દસ્તક અભિયાન શરુ કરવાની જાણકારી આપી છે.
દરેક ઘર સુધી વેક્સિન પહોંચતી કરવી પડશે-મોદી
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી તમે બધાએ તમામ લોકો સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું છે પરંતુ હવે દરેક ઘર સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કરો.
प्रधानमंत्री नरेंद्र मोदी वीडियो कॉन्फ्रेंसिंग के जरिए कम टीकाकरण वाले ज़िलों के प्रशासन के साथ समीक्षा बैठक कर रहे हैं। इस दौरान समीक्षा बैठक में कई प्रदेशों के मुख्यमंत्री भी मौज़ूद हैं। pic.twitter.com/PLe9MxfLKH
સ્થાનિક ધર્મગુરુઓની મદદ લો
પીએમ મોદીએ કહ્યું કે લોકોને વેક્સિન લેતા કરવા માટે જરુર પડે તો ધર્મગુરુઓની પણ મદદ લેવી જોઈએ. મોદીએ કહ્યું કે એક પડકાર અફવા અને ભ્રમ દૂરવો તે પણ છે. વાતચીત દરમિયાન તેનો ઉલ્લેખ થયો હતો. અફવા અને ભ્રમ દૂર કરવાનો એક સારો ઉપાય એ પણ છે કે લોકોને વધારેમાં વધારે સચેત કરવામાં આવે તેમાં તમે (કલેક્ટર્સ) સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ લઈ શકો છો. મોદીએ કહ્યું કે હમણા થોડા સમય પહેલા જ મારી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત થઈ છે. વેક્સિન પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે લોકો સુધી પહોંચતો કરવો પડશે.