લખીમપુર ખીરી જઈ રહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જે બાદ તેઓ એરપોર્ટ પર ધરણા પર બેઠા હતા.
CM ભૂપેશ બઘેલને સુરક્ષા કર્મીઓએ એરપોર્ટ પર જ રોક્યાં
જે બાદ તેઓ એરપોર્ટ પર ધરણા પર બેઠા હતાં
લખનઉ જતાં પહેલા બધેલે એક વિડયો શેર કર્યો હતો.
ભૂપેશ બઘેલને સુરક્ષા કર્મીઓએ એરપોર્ટ પર જ રોક્યાં
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના મોત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ લખનૌ એરપોર્ટ પર પહોંચ્યા. લખનઉ એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેઓને બહાર નીકળતાં અટકાવ્યાં હતાં.જે બાદ ભૂપેશ બઘેલ એરપોર્ટ પર જ ધરણા પર બેઠા હતા. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા બહાર નીકળતાં રોકવામાં આવ્યાં હોવાની માહિતી આપી હતી.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, મને કોઈ પણ આદેશ વગર લખનઉ એરપોર્ટની બહાર જવાથી રોકવામાં આવી રહ્યો છે. ધરણા પર બેઠેલા બઘેલે પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે ફ્લોર પર બેઠેલો જોવા મળે છે અને તેની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત છે.
એરપોર્ટ પર ધરણા પર બેઠા હતાં
ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ એરપોર્ટ પર જ ધરણા પર બેઠા હતાં. જ્યાં તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, "મને કોઈ પણ આદેશ વગર લખનૌ એરપોર્ટની બહાર જવાથી રોકવામાં આવી રહ્યો છે."
લખનઉ જતાં પહેલા બધેલે એક વિડયો શેર કર્યો હતો.
“હું લખનઉ જવા રવાના થયો છું. ખેડૂતો સાથે ન્યાય થશે. સીએમ બઘેલે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં સુરક્ષા કર્મચારીઓ તેને એરપોર્ટની બહાર નીકળતાં અટકાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ તરફથી પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવી રહ્યા છે. વીડિયોમાં સીએમ બઘેલ સુરક્ષાકર્મીઓને પ્રશ્નો પૂછતા જોવા મળે છે. આ દરમિયાન, તે સુરક્ષા કર્મચારીઓને પૂછે છે કે મને શા માટે રોકવામાં આવી રહ્યો છે.