કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થઇ છતાં લોકો જાણે કોરોના હોય જ નહીં તેવી રીતે બજારમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે
કોરોના કેસ ઘટ્યાં છે,કોરોના નથી ગયો!
બજારોમાં ઉમટી રહી છે લોકોની ભીડ
લોકો ખરીદી કરવામાં નિયમો ભૂલ્યા
રાજ્યમાં કોરોનાની બે લહેરની માર છતાં લોકો હજી બેદરકારી દાખવી રહ્યાં છે. હજુ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થઇ છતાં લોકો જાણે કોરોના હોય જ નહીં તેવી રીતે બજારમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ બજારમાં જોવા મળી રહી છે.
તો વાત કરી અમદાવાદની તો શહેરના લાલ દરવાજા માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની ઉમટી ભીડ હતી. લોકો ખરીદી કરવામાં નિયમો ભૂલ્યા હતા. ડોક્ટર્સની ચેતવણી છતાં લોકોમાં ગંભીરતાનો અભાવ જોવા મળ્યો.તો વડોદરાના પાદરામાં માહી વોટર રિસોર્ટમાં પોલીસે રેડ પાડી છે. રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. તેથી સવાલો ઉભા થયા હતાં કે કોરોના કાળમાં રિસોર્ટ બંધ છે તો મંજૂરી કોણે આપી.
વડોદરામાં વોટરપાર્ક ચાલુ કરાયો
વડોદરાના પાદરાના મુજપૂર બ્રિજ પાસે આવેલા માહી વોટર રિસોર્ટમાં પોલીસની રેડ કરી છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયાં હતાં. મોટી સંખ્યામાં વાહનોનું પાર્કિગ પણ જોવા મળ્યું હતું. આ રિસોર્ટના 3 સંચાલકની પોલીસે અટકાયત કરી છે. જેમાં કુલ 30 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે જાહેરનામા અને સામાજિક અંતરના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાકાળમાં રિસોર્ટ બંધ છે તો મંજૂરી અપાઇ તે અંગે સવાલો ઉઠ્યા છે. અગાઉ આ જ રિસોર્ટ અગાઉ એક વિદ્યાર્થીનું રાઈડમાં મૃત્યુ થયુ હતું.
ભાવનગરમાં પણ લોકો બેદરકાર બની બજારમાં ફર્યા
બીજી તરફ ભાવનગરમાં બેદરકારી દ્રશ્યો જોવા મળ્યાં. મુખ્ય બજારમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. કલેક્ટરે રવિવારી બજાર બંધ કરાવવા આદેશ કર્યો હોવા છતાં ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે શહેરીજનોની બેદરકારી કોરોનાને આમંત્રણ આપી શકે છે. કોરોનાને હરાવા માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આપણે નિયમોનું પાલન નહીં કરીએ તો કોરોના સામે જંગ જીતવી મુશ્કેલી છે. માટે વીટીવી લોકોને સાવચેતી રાખવાની અને નિયમોનું પાલન કરવાની અપીલ કરે છે.