ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત કાર એક્સીડેન્ટમાં ઘાયલ થયા બાદ મુંબઈમાં તેની લિગામેન્ટની સર્જરી થઈ ચુકી છે.
સ્ટાર ક્રિકેટર પંતનો થયો હતો કાર અકસ્માત
મુંબઈમાં થઈ લિગામેન્ટ્સ સર્જરી
નહીં રમી શકે IPL 2023
ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ મુંબઈમાં લિગામેન્ટની સર્જરી કરાવી છે. જણાવી દઈએ કે આ સમયે પંત મેડિકલ ટીમની દેખરેખમાં છે. સર્જરી પછી તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં લગભગ 6 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.
IPL 2023 નહીં રમી શકે પંત?
એટલે કે પંત ભાગ્યે જ IPL 2023માં રમતો જોવા મળશે. પરંતુ જો પંત આઈપીએલ નહીં રમે તો પણ તેને નુકસાન નહીં થાય. મહત્વનું છે કે પંતને IPL રમ્યા વિના પૂરો પગાર મળશે. પંતને દિલ્હી કેપિટલ્સે રૂ. 16 કરોડમાં રિટેઈન કર્યો હતો અને આઈપીએલમાં ન રમે તેમ છતાં પંતને સંપૂર્ણ રકમ મળશે. જો કે તે ફ્રેન્ચાઇઝી દ્વારા નહીં પરંતુ BCCI દ્વારા જ આપવામાં આવશે.
પંતને મળશે 21 કરોડ રૂપિયા
તમને જણાવી દઈએ કે 30 ડિસેમ્બરની સવારે 5.20 વાગ્યે ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો રૂડકી જતી વખતે કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેને ઘણી ઈજાઓ પણ થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પંતે તાજેતરમાં લિગામેન્ટ ઈન્જરીનું ઓપરેશન પણ કરાવ્યું છે. આવી સ્થિતિમાં તેને સાજા થવામાં સમય લાગશે, તેના IPL 2023માં રમવા પર પણ પ્રશ્ન છે.
દરેક વસ્તુનો ખર્ચ ઉઠાવી રહ્યું છે BCCI
પરંતુ તેમ છતાં પંતને તેની આઈપીએલ સેલરી 16 કરોડ રૂપિયા મળશે. આ પૈસા તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આપશે. મહત્વનું છે કે બીસીસીઆઈએ રિષભ પંતની સારવાર કરાવવાની સાથે તેની દરેક વસ્તુનો ખર્ચ પણ ઉઠાવી રહ્યું છે.
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે બીસીસીઆઈ આટલો ખર્ચ કેમ કરી રહી છે? તો જણાવી દઈએ કે BCCIના નિયમો અનુસાર, "ઈજાના કારણે IPLમાંથી બહાર થવાના કિસ્સામાં આ ખેલાડીઓને બોર્ડ દ્વારા સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે." સંબંધિત ફ્રેન્ચાઈઝી નહીં પરંતુ વીમા કંપની પગાર ચૂકવે છે.
એટલું જ નહીં, બોર્ડ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ મળનારી વાર્ષિક રિટેનરશિપ ફી માટે રૂ. 5 કરોડની ચુકવણી પણ કરશે. આ સાથે તમને જણાવી દઈએ કે દીપક ચહર આઈપીએલમાં ન રમ્યા હોવા છતાં વર્ષ 2022માં બીસીસીઆઈએ આઈપીએલમાંથી મળેલી રકમ ચૂકવી દીધી હતી.