જમ્મુ કાશ્મીરના પુલવામામાં મોડી રાતે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.
આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ
આ વિસ્તારમાં કેટલાક આતંકી
4 આતંકવાદીઓ હોવાની સૂચના મળી
આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ
પુલવામામાં મોડી રાતથી આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ છે. આ અંગેની જાણકારી કાશ્મીર ઝોન પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે પુલવામાં સ્થિત હાજિન રાજપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર શરુ થયુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરક્ષાદળોના ઈનપુર મળ્યા હતા કે વિસ્તારમાં કેટલાક આતંકી છે. જે બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જાણકારી મુજબ સર્ચ અભિયાન દરમિયાન જેવા સુરક્ષાદળો શંકાસ્પદ ઠેકાણે પહોંચ્યા આતંકવાદીઓએ તેમના પર ગોળી ચલાવી હતી. આ બાદ સુરક્ષાદળોએ મોર્ચો સંભાળ્યો અને ભારે ગોળીબારી કરી.
4 આતંકવાદીઓ હોવાની સૂચના મળી
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી અથડામણ ચાલુ છે. અંગ્રેજી અખબાર અનુસાર સ્થળ પર 4 આતંકવાદીઓ હોવાની સૂચના મળી છે. એન્કાઉન્ટરમાં સેના પુલવામા પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો સામેલ છે.
3 આતંકવાદી ઠાર કરાયા હતા, 2 જવાન ઘાયલ
આ પહેલા અથડામણમાં બુધવારે કુલગામમાં સુરક્ષા દળો સાથેના અથડામણમાં લશ્કર- એ તૈયબાના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન ગોળીબારમાં 2 જવાન ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયેલા હોવાની મહિતી મળતા પોલીસ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને સેનાના સંયુક્ત રુપથી કુલગામ જિલ્લામાં ચિમેર ગામમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરુ કર્યુ આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી. કલાકો સુધી ચાલેલી અથડામણમાં 2 જવાન ઘાયલ થયા હતા. તો 3 આતંકવાદી માર્યા ગયા હતા. જેમાં વસીમન અહમદ બંગરુ (કુલગામ), શાહનવાજ અહમત (શોપિયા) અને જાકિર બશીર (કુલગામ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લશ્કર એ તૈયાબ સાથે જોડાયેલા હતા.