જમ્મુ કાશ્મીર સ્થિત પુલવામાંના પુચલમાં બુધવાર- ગુરુવાર દરમિયાન રાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરુ થઈ છે.
એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી માર્યા ગયા
સ્થળ પર કેટલા આતંકવાદી હાજર છે તે જાણી શકાયું નથી
સેનાએ એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ બનાવ્યો
એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી માર્યા ગયા
આ દરમિયાન સ્થળ પર સેના, અર્ધસૈનિક દળ, ફાયર અને રાજ્ય પોલીસના જવાનો હાજર હતા. મનાઈ રહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 2 આતંકવાદી માર્યા ગયા છે. જો કે હજું સુધી બન્નેની ઓળખ થઈ ચુકી નથી. કાશ્મીર જોન પોલીસે કહ્યું કે હજું પણ સર્ચ ઓપરેશન જારી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર સુરક્ષાદળોને બાતમી મળી હતી કે પુચલમાં આતંકી હોઈ શકે છે. જે બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થળ પર કેટલા આતંકવાદી હાજર છે તે જાણી શકાયું નથી
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી એ જાણકારી નથી મળી શકી, સ્થળ પર કેટલા આતંકવાદી હાજર છે. કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે કહ્યું કે કાશ્મીરમાં 24 કલાકમાં 5 આતંકવાદીઓને ઢેર કર્યા છે. એ માટે પોલીસ અને સુરક્ષા દળોએ અભિનંદન પાઠવ્યા છે. આ સમાચારમાં જાણકારીની રાહ છે.
સેનાએ એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ બનાવ્યો, પાકિસ્તાની આતંકવાદી ઢેર
આ પહેલા રાજોરી જિલ્લામાં એલઓસી પર બુધવારે સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા હતા. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી.
અથડામણમાં 2 સૈનિકો ઘાયલ
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને રોકવા માટે થયેલી અથડામણમાં 2 સૈનિકો ઘાયલ થયા છે. પ્રવક્તાએ જણાવ્યું કે આજે પાકિસ્તાની આતંકવાદીઓના ગ્રુપે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો. સેનાની સતર્કતાને તેમને ઘૂસણખોરોને ઠાર કરી તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા છે. પ્રવક્તાના જણાવ્યાનુસાર માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ બરામદ કરવામાં આવ્યો છે.
આટલા હથિયાર મળ્યા
તેમણે જણાવ્યું કે ઘટના સ્થળથી એક એકે 47 રાઈફલ, એકે 47ની ચાર મેગજીન અને 2 હેન્ડ બોમ્બ પણ મળી આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું કે આ કાર્યવાહી જણાવે છે કે ભારતીય સેના નિયંત્રણ રેખા પર કોઈ પણ દુસ્સાહસને રોકવામાં સક્ષમ છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ અથડામણમાં 2 જવાનો પણ ઘાયલ થયા અને તેમને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.