જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇને PDP, NC તથા જમ્મુ-કાશ્મીર પીપુલ્સ મુવમેન્ટે તાત્કાલિક અસરથી એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. તમામ પાર્ટીઓએ આ બેઠક માટે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા છે.
જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. આ સાથે જ પાકિસ્તાની બનાવટનું હથિયાર તથા IED મળી આવતા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મહેબુબા મુફ્તીનું નિવેદન
You failed to win over the love of a single Muslim majority state which rejected division on religious grounds & chose secular India. The gloves are finally off & India has chosen territory over people.
આ ચર્ચા વચ્ચે પીડીપી પ્રમુખ તથા પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, એકમાત્ર મુસ્લિમ રાજ્યનો પ્રેમ જીતવામાં અસફળ રહ્યા જેમણે ધાર્મિક સ્તર પર જવાની જગ્યાએ સેક્યુલર ભારતને પસંદ કર્યું.
લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લનનું નિવેદન
કારણ કે, સરકારને આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. આ સાથે જ લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લનના જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રાના રૂટના ચેકિંગ દરમિયાન IED અને સ્નાઇપર જેવા હથિયાર પ્રાપ્ત થયા છે. ત્યારે સરકારે યાત્રીઓને શક્ય તેટલા જલ્દી કાશ્મીર છોડવા સૂચન કર્યું છે.
ઢિલ્લને વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા અમરનાથ યાત્રાને IED ધમાકા દ્વારા નિશાન બનાવવામાં આવવાની તૈયારીઓ અંગે પણ ઇનપુટ પ્રાપ્ત થયાં છે જેને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની બનાવટનું હથિયાર મળ્યું
સેનાના જણાવ્યા મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીમાં આકાર પામેલ બારુદી સુરંગ પણ મળી આવી આવી છે જેના પર પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીનું નિશાન પણ છે.