નવી દિલ્હીઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં TRSએ ભવ્ય વાપસી કરી છે. અહીં પર તમામ બેઠકો 119ના વલણથી આગળ રહી છે. અત્યાર સુધના વલણો અનુસાર TRS 86 બેઠકો પર આગળ છે. આ આંકડા બે ત્રૃતિંશા બહુમતીથી પણ વધુ છે.
તેલંગાણામાં સરકાર બનાવવા માટે 60 બેઠકો જોઇએ. તેલંગાણામાં કોંગ્રેસ 22 બઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપ પણ 2 બેઠકો પર આગળ રહી છે. અન્ય પાર્ટીઓના 9 ઉમેદવારો પણ પોતપોતાની બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
ત્યારે તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવને જીત મળી છે. 51 551 મતો સાથે કેસીરીનો વિજય થયો છે. તેલંગાણામાં પહેલી બેઠક AIMIMના ખાતામાં ગઇ છે. AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીના ભાઇ અકબરૂદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા બેઠકથી ચૂંટણી જીતી છે. ચાર મીનાર બેઠક પરથી પણ AIMIM ઉમેદવાર મુમતાઝ અહમદ ખાન 33 હજાર મતોથી ચૂંટમી જીતી ગયા છે.