સુંદર અને સ્વચ્છ ચહેરો કોને નથી ગમતો? જો ચહેરો સુંદર હોય છે તો તે તમારી પર્સનાલિટીમાં વધારો કરે છે. આ ઉપરાંત આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે પણ ખૂબ જ મહેનત કરતા હોઇએ છીએ. .
જોકે ક્યારેક એવુ પણ બને છે કે શરીરને સ્વસ્થ રાખવાના ચક્કરમાં આપણે નાની-નાની વાતો ભૂલી જઇએ છીએ. જેમ કે ચહેરાની સાથે ગરદનનું ધ્યાન રાખવુ જરૂરી છે. જો ચહેરો સ્વસ્છ હશે પરંતુ ગરદન કાળી હોય તો નિખાર ઝાંખો લાગે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક ઉપાય જેને લીધે તમારે આ સ્થિતિનો સામનો કરવો નહી પડે..
- મોટાભાગના લોકો ઘરમાં એલોવેરા પ્લાન્ટ સરળતાથી મળી જતો હોય છે. એલોવેરામાં અનેક પ્રકારના ઔષધિય ગુણો રહેલાં હોય છે. એલોવેરા પણ તમારી ગરદન પરની કાળાશ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલા મિનરલ અને વિટામીન્સ ગરદનની જમા થયેલી કાળાશ ઝાંખી કરે છે. એલોવેરાની અંદર રહેલી જેલને થોડી વાર સુધી ગરદન પર લગાવીને માલિશ કરો. અડધા કલાક સુધી જેલ લગાવી રાખો અને પછી તેને પાણીથી ધોઇ લો, તમને પહેલા કરતા અનેકગણુ સારું પરિણામ જોવા મળશે.
- એ વાત સાબિત થઈ ચૂકી છે કે એપલ સીડલ વિનેગર સ્કિનનું Ph લેવલ બેલેન્સ રાખે છે. આ ઉપરાંત તે સ્કિનના મૃતકોષને પણ દૂર કરે છે. બે ચમચી એપલ સીડલ વિનેગરમાં થોડું પાણી લો. આ પછી કોટનના કપડાથી ગરદનનો જે ભાગ કાળો થઇ ગયો હોય ત્યાં લગાવો. થોડી મિનિટ સુધી રાખી મૂકો અને ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઇ નાખો.
- બદામનાં તેલમાં વિટામીન ઈ હોય છે. જે બ્લિચિંગ એજન્ટ તરીકે શાનદાર કામ કરે છે. કેટલાંક ટીપા બદામનું તેલ લો. આ પછીથી તેને હળવી રીતે ગરદન પર લગાવો. થોડીવખત માલિશ કર્યા પછી ગરદનને સ્વચ્છ પાણીથી ધોઇ નાખો, તરત જ અસર જોવા મળશે.
- દહી નેચરલ એન્ઝિમ્સ હોય છે. જે સ્કિનને ચમકદાર બનાવે છે. બે ચમચી ફ્રેશ દહીં લો અને તેને થોડીવખત ગરદન પર લગાવો. આશરે 15 મિનિટ સુધી દહીં ગરદન પર લગાવેલુ રાખો અને ત્યારબાદ તેણે પાણીથી ધોઈ લો.
- તમે કદાચ આ વાત નહી જાણતા હોવ પણ બટાકામાં બ્લિચિંગ પ્રોપર્ટીઝ હોય છે. જે સ્કિનને ચમકદાર બનાવે છે. બે અથવા થોડા વધારે બટાકા લો અને રસ નીકાળો. આ પછી તેને હળવા હાથે ડોક પર લગાવો. પંદર મિનિટ રસ રાખો અને ત્યારપછીથી સાદા પાણીથી ધોઇ નાખો.