રાજ્યમાં શિક્ષણના કાળા કારોબારના એક મોટા કૌભાંડનો ખુલાસો થયો છે અને આ કૌભાંડનો ઘટસફ્ટો ખુદ શિક્ષણ બોર્ડના સભ્યએ જ કર્યો છે. જેમાં રાજ્યમાં 2 હજારથી વધુ સ્કૂલો માત્ર કાગળ પર છે અને સ્કૂલ સંચાલકો અને ટ્યુશન સંચાલકોની મીલીભગતથી શાળાઓના નામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરી શિક્ષણનો વેપાર ચલાવી રહ્યા છે.
ટ્યૂશન ક્લાસમાં ભણી અને શાળાઓમાં પરીક્ષા આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ક્લાસીસમાં ભણીને પરીક્ષાના ફોર્મ ભૂતિયા સ્કૂલમાંથી ભરાવાય છે. ત્યારે રાજ્યમાં 2500થી વધુ ભૂતિયા શાળાઓ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે અહિંયા સવાલ એ છે કે, રાજ્યમાં શિક્ષણના નામે ધંધો કરનાર આવા લોકો સામે કાર્યવાહી ક્યારે કરાશે? રાજ્યમાં શિક્ષણનું શુદ્વિકરણ ક્યારે થશે? શાળાઓને મંજૂરી આપતા પહેલા અધિકાકીઓ શું સ્થળ ચકાસણી કરે છે? જો કરતા હોય તો આવી ભૂતિયા શાળાઓ ક્યાંથી આવી અને શું શાળાઓની મંજૂરીના માપદંડનું પાલન થાય છે?