ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શાળાઓને 5 થી 15 ટકા સુધી ફી વધારવા માટે છૂટ આપવામાં આવી છે. જેને લઈને હવે FRC અને શાળા સંચાલકો સામે વાલીઓ લાચાર બની ગયા છે અને તેમને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
કોરોના કાળમાં વાલીઓની મુશ્કેલી વધી
FRC દ્વારા શાળાઓને 15 ટકા સુધી ફી વધારવાની મંજૂરી
25 ટકા ફી માફીને લઈને હવે શિક્ષણમંત્રીનુ મૌન
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે શાળાઓ ફરીથી બંધ થઈ રહી છે. જોકે કોરોના શરૂ થયો ત્યારથી શાળા દ્વારા ઉઘરાવાતી ફી ને લઈને વાલીઓ હેરાન થઈ રહ્યા છે. વાલીઓ આ મુદ્દે FRC કચેરીમાં પણ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતા પણ આ મુદ્દે કોઈ ઉકેલ આવી નતી રહ્યો
વાલીઓ બન્યા લાચાર
શાળાઓ દ્વારા ઉઘરાવાતી ફી ને લઈને વાલીઓ હાલ લાચાર બની ગયા છે. જેમા શાળા સંચાલકો અને FRC સામે હવે વાલીઓ લાચાર બની ગયા છે. FRC ખાનગી શાળાઓના હિતમાં કામ કરતી હોવાનો આક્ષેપ તેમની પર લાગ્યો છે. સાથેજ તેમની સામે ફી રેગ્યુલેશન કમિટી નહી પરં ફી વધારા કમિટી હોવાનો આક્ષેપ લાગ્યો છે.
શાળાને 15 ટકા સુધી ફી વધારાની આપી મંજૂરી
આપને જણાવી દઈએ કે FRC દ્વારા શાળાઓને 5 તી 15 ટકા ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે. તેમા પણ કોરોના કાળમાં આ ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે જેના કારણે વાલીઓ હાલમાં લાચાર બની ગયા છે.
25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનું મૌન
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે વાલીઓ પાસે ફી વધારો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બાકી નથી રહેતો. એક તરફ સરકાર દ્વારા 25 ટકા ફી રાહતની જાહેરાત કરવામાં આવી છે અને બીજી કતરફ FRC દ્વારા શાળાઓને 5 થી 15 ટકા ફી વધરાવની મંજૂરી આપવામાં આવી જેથી આ મામલે હવે શિક્ષણમંત્રી પણ મૌન સેવીને બેઠા છે.